CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
આ પદ્વતિમાં વિભાજિત વર્તુળોનો ઉપયોગ થાય છે. વિગતો દર્શાવવા માતે વર્તુળના ખંડ પાડવામાં આવે છે. તેને ‘પાઈ ડાયગ્રામ ‘ કહે છે.
આંકડાકીય માહિતીની તુલના કરવાની હોય ત્યારે આ પદ્વતિંનો ઉપ્યોગ થાય છે. અહીં વર્તુળના ખંડ પાડવામાં આવે છે તે આંકડાકીય માહિતીનું પ્રતિનિધિત્વ હોય છે. આ આંકદા અસમાન હોવાથી વર્તુળના વિભાગો પણ અસમાન હોવાથી વર્તુળના વિભાગો પણ અસમાન બને છે. બધા આંકડાની ટકાવારી કાઢવામાં આવે છે અને તેનો સમમુલ્ય ખૂણો શોધવામાં આવે છે.
ખૂણો શોધવાની રીત : કુલ ટકા 100 અને વર્તુળના કુલ અંશ 360 હોય છે. આ બન્નેનું ગુણોત્તર 3.6 થાય. મૂળ આંકડાની પ્રત્યેક આવૃત્તિની ટકાવારી 3.6 વડે ગુણવત્તાથી વર્તુળનો ખૂણો મળશે.
ઉદાહરણ : આપેલી આ આવૃત્તિની ટકાવારી 50 છે.
નો ખુણો થાય છે.
આ રીતે બધા ખૂણાની ગણતરી કર્યા પછી, એક વર્તુળ દોરીને તેના ખુણા દર્શાવી શકાય છે.
વિભાજીત વર્તુળ પદ્વતિની આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો :
1. વિભાજીત વર્તુળ પદ્વતિમાં આંકડાના સૌથી મોટા ખંડની શરૂઆત ઘડીયારમાં 12 દર્શાવતા સ્થળેથી કરવામાં આવે છે.
2. બાકીના આંકડાના ખુણા ઘડિયાળના કાંટાની દીશા પ્રમાણે દોરવાના હોય છે.
3. સામાન્ય રીતે ટકાવારીના આંકડા ઊતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે.
4. વર્તુળના જેટલ ખંડ રચાય તે પ્રત્યેકને સ્વતંત્ર નિશાની દ્વારા અથવા જુદા જુદા રંગ દર્શાવવામાં આવે છે.