વિષયલક્ષી નકશા તૈયાર કરવા માટે ખાસ કરીને ત્રણ પદ્વતિઓ વધુ પ્રચલીત છે.
આ એવા નકશા છે જેમાં કોઈ એક વિષય કે વિગતનો આધાર લેવામાં આવ્યો હોય. દા.ત., ગુજરાતમાં વસ્તીનું વિતરણ. આ પ્રકારના નકશાની વિષેષતાઓ નીચે પ્રમાણે છે:
1. સમય અને ક્ષેત્રના સંદર્ભમાં કોઈ ઘટનાનું વિતરણ દર્શાવવા માટે આવા નકશા ઉપયોગી બને છે.
2. વિષયલક્ષી નકશા તૈયાર કરવા માટે જે તે પ્રદેશ દર્શાવાતો નકશો હોવો જરૂરી છે. આ નકશામાં સજ્ઞાઓનો ઉપયોગો કરીને આંકડાકીય માહિતીનાં સંખ્યાત્મક અને ગુણાત્મક લક્ષણો દર્શાવી શકાય છે.
3. વિષય લક્ષી નકશા તૈયાર કરવા માટે ખાસ કરીને ત્રણ પદ્વતિઓ વધુ પ્રચલીત છે.
1. ટપકાં પદ્વતિ (ડૉથ મેઠડ) 2. ગુણાત્મક પદ્વતિ (કોરોપ્લેથ મેથડ) અને 3. સમમુજ્ય રેખા પદ્વતિ (આઈસોપ્લેથ મેથડ).
1. ટપકાં પદ્વતિ (ડૉથ મેથડ):
વિગતની ગીચતા તથા આવૃત્તિ દર્શાવવા માતે ટપકાનો ઉપયોગ કરવામાં આવે છે. બધાં ટપકા એક સરખા કદના હોય છે. પ્રત્ય્ક ટપકુ નિર્ધારીત સંખ્યાનું પ્રતિનિધિત્વ કરે છે. જે આગળ દર્શાવેલ નકશા દ્વારા સમજી શકાશે.
2. ગુણાત્મક પદ્વતિ (કોરોપ્લેથ મેથડ) : આકડાકીય માહિતીમાં તેનું કોઇ એક લક્ષણ હોય છે, જેમકે ‘પ્રદેશની સાક્ષરતા’ આ આંકડાકીય માહિતીનું ગુણાત્મક લક્ષણ છે. આવા લક્ષણોની તીવ્રતા કે ગીચતા દર્શાવવા માટે જુદા જુદા રંગોનો અથવા એક જ રંગની વિવિધ ભાતો નો ઉપયોગ કરવામાં આવે છે. આ બાબત નીચે આપેલા નકશા દ્વારા સ્પષ્ટ થશે.
3. સમમૂલ્ય રેખા પદ્વતિ (આઈસોપ્લેથ મેથડ) : આ પદ્વતિમાં કોઇ વિતરણની આંકડાકીય માહિતી દર્શાવવા માટે સમાન મૂલ્ય ધરાવતી રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું ઘણું જાણીતું ઉદાહરણ સમોચ્ચતા રેખાઓ છે. નકશામાં આ રેખઓ વચ્ચે અંતરની વધ ઘટ થાય છે, જે માહિતીના ક્ષેત્રીય વિતરણનો દર સુચવે છે. અહીં ગુજરાતમાં વરસદનું વિતરણ દર્શાવતો નકશો આપ્યો છે. તેમાં સમમૂલ્ય રેખાઓ દ્વારા વરસાદનું જુદું જુદું પ્રમાણ તથા તેના પ્રદેશો દર્શાવ્યા છે.