Chapter Chosen

પરિવહન અને દૂરસંચાર

Book Chosen

ભૂગોળ ધોરણ 12

Subject Chosen

ભૂગોળ્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ભારતની સડકોના પ્રકારની ચર્ચા કરો. 


ભારતીય રેલ માર્ગના પ્રકાર 

ભારતમાં પાથરવામાં આવેલી તેલ અને ગૅસ પાઈપલાઈનની ચર્ચા કરો. 

વિદ્યુતગ્રીડ

Advertisement
ભારતના આંતરીક જળ માર્ગો વિશે ટૂંક નોધ લખો. 

જળ માર્ગ એ પ્રવાસીઓ તથા ચીજવસ્તુઓની હેરફેર માટેનું સસ્તુ અને મહત્વનું સાધન છે. તેના આંતરીક અને દરીયાઈ એમ મુખ્ય બે પ્રકારો છે,

આંતરીક જળમાર્ગો :

1. લગભગ 14500 કિમી લંબાઈના આંતરિક જળમાર્ગો ઉપયોગી થઈ શકે તેમ છે. તેમાં મોટી નદીઓ, નહેરો, ખાડી, ભરતી જળ વગેરેનો સમાવેશ થાય છે.

2. લગભગ 2000 કિમી લંબાઈના નદીમાર્ગો ઉપર મશીન બોટ ચલાવવા માટે ઉપયોગી છે.

3. રાષ્ટ્રીય જળ માર્ગોના વિકાસ, સાચવણી અને નિયમન માટેની 1986 માં ઇનલૅન્ડ વૉટર વેઝ ઑથોરિટી
ઓફ ઇન્ડીયાની સ્થાપના કરવામાં આવી હતી.

હાલમાં દેશમાં ત્રણ રાષ્ટ્રીય જળમાર્ગો છે :

1. રાષ્ટ્રીય જળમર્ગ નં-1 : ગંગાનદીના અલ્હાબાદથી હલ્દીયા વચ્ચેનો જળમાર્ગ. તેની લંબાઈ 1620 કિમી છે. તેમાં યાંત્રીક બોટોદ્વારા અવર જવર કરી શકાય છે.

2.રાષ્ટ્રીય જળમાર્ગ નં-2 : બ્રહ્મપુત્ર નદીના સાદિયા અને ધ્રુબરી વચ્ચેનો જળમાર્ગ. તે 891 કિમી લાંબો છે.

3. રાષ્ટ્રીય જળમાર્ગ નં- 3 : પશ્ચિમ કિનારે કોટ્ટાપુરમથી કોલ્લમ સુધીની વેસ્ટ કોસ્ટ કૅનાલ.
ઉપરાંત, ગોદાવરી, કૃષ્ણા તથા મહાનદીના મુખત્રિકોણ પ્રદેશો અને ગોવાની મંડોવી તથા ઝુઆરી નદીઓનો અને કેરલમાં ભરતી જળનો આંતરિક જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે.

આંતરિક જળમાર્ગની સમસ્યાઓ :

1. જળ જથ્થાની વધઘટ અને નદીઓનું ઊંચું નીચું તળ.

2. કાપના તળાવથી છીછરું બનતું નદીનું તળ.

3. સિંચાઈ માટે નહેરો બનાવવાથી નદીના જળસ્તર તથા જળજથ્થામાં થતો ધટાડો.


Advertisement
Advertisement