CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારતની સડકોના પ્રકારની ચર્ચા કરો.
જળ માર્ગ એ પ્રવાસીઓ તથા ચીજવસ્તુઓની હેરફેર માટેનું સસ્તુ અને મહત્વનું સાધન છે. તેના આંતરીક અને દરીયાઈ એમ મુખ્ય બે પ્રકારો છે,
આંતરીક જળમાર્ગો :
1. લગભગ 14500 કિમી લંબાઈના આંતરિક જળમાર્ગો ઉપયોગી થઈ શકે તેમ છે. તેમાં મોટી નદીઓ, નહેરો, ખાડી, ભરતી જળ વગેરેનો સમાવેશ થાય છે.
2. લગભગ 2000 કિમી લંબાઈના નદીમાર્ગો ઉપર મશીન બોટ ચલાવવા માટે ઉપયોગી છે.
3. રાષ્ટ્રીય જળ માર્ગોના વિકાસ, સાચવણી અને નિયમન માટેની 1986 માં ઇનલૅન્ડ વૉટર વેઝ ઑથોરિટી
ઓફ ઇન્ડીયાની સ્થાપના કરવામાં આવી હતી.
હાલમાં દેશમાં ત્રણ રાષ્ટ્રીય જળમાર્ગો છે :
1. રાષ્ટ્રીય જળમર્ગ નં-1 : ગંગાનદીના અલ્હાબાદથી હલ્દીયા વચ્ચેનો જળમાર્ગ. તેની લંબાઈ 1620 કિમી છે. તેમાં યાંત્રીક બોટોદ્વારા અવર જવર કરી શકાય છે.
2.રાષ્ટ્રીય જળમાર્ગ નં-2 : બ્રહ્મપુત્ર નદીના સાદિયા અને ધ્રુબરી વચ્ચેનો જળમાર્ગ. તે 891 કિમી લાંબો છે.
3. રાષ્ટ્રીય જળમાર્ગ નં- 3 : પશ્ચિમ કિનારે કોટ્ટાપુરમથી કોલ્લમ સુધીની વેસ્ટ કોસ્ટ કૅનાલ.
ઉપરાંત, ગોદાવરી, કૃષ્ણા તથા મહાનદીના મુખત્રિકોણ પ્રદેશો અને ગોવાની મંડોવી તથા ઝુઆરી નદીઓનો અને કેરલમાં ભરતી જળનો આંતરિક જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે.
આંતરિક જળમાર્ગની સમસ્યાઓ :
1. જળ જથ્થાની વધઘટ અને નદીઓનું ઊંચું નીચું તળ.
2. કાપના તળાવથી છીછરું બનતું નદીનું તળ.
3. સિંચાઈ માટે નહેરો બનાવવાથી નદીના જળસ્તર તથા જળજથ્થામાં થતો ધટાડો.