Chapter Chosen

પરિવહન અને દૂરસંચાર

Book Chosen

ભૂગોળ ધોરણ 12

Subject Chosen

ભૂગોળ્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ભારતની સડકોના પ્રકારની ચર્ચા કરો. 


Advertisement
ભારતમાં પાથરવામાં આવેલી તેલ અને ગૅસ પાઈપલાઈનની ચર્ચા કરો. 

પ્રવાહી પદાર્થો અને કુદરતી વાયુની હેરફેર માટે પાઈપલાઈન સૌથી વધુ સુવિધાજનક સાધન છે. પ્રેટ્રોલીયમ અને તેની પેદાશો તથા ગૅસ ને લાંબા અંતર સુધી લઈ જવા માટે પાઇપલાઈનનો ઉપયોગ કરવામાં આવે છે. પાઈપલાઈન સુવીધાજનક છે, કારણ કે

1. ઉબડખાબડ ભૂમિ તથા પાણીની નીચે પણ પાઈપલાઈન નાખી શકાય છે.

2.તેના સંચાલન તથા જાળવણી પાછળ ખુબ જ ઓછુ ખર્ચ આવે છે.

3. ઉર્જા ક્ષમતા તેમજ પર્યાવરણની સાચવણીની દ્વષ્ટિએ તે શ્રેષ્ઠ વ્યવસ્થા છે.

ભારતમાં પાથરવામાં આવેલી પાઈપલાઈનની માહિતી નીચે પ્રમાણે છે.

1. અસમમાં દિગ્બોઈ તેલક્ષેત્રથી નૂનમતી રિફાઈનરી સુધી 443 કિમી લાંબી અને નૂનમતીથી બિહારમાં
બરૌની રિફાઈનરી સુધી 742 કિમી લાંબી પાઈપલાઈન નાખવામાં આવે છે.

2. અંક્લેશ્વર તેલક્ષેત્રને કોયલી ખાતે ગુજરાત રિફાઈનરી સાથે જોડતી પાઈપલાઈન 1965 માં નાખવામાં
આવી હતી.

3. કલોલ સાબરમતી પાઈપલાઈન, નવાગામ કલોલ કોયલી પાઈપલાઈન અને બોમ્બે હાઈ કોયલી પાઈપલાઈન નાખવામાં આવી છે.

4. ખંભાત અને ધુવારણ વચ્ચે, અંકલેશ્વર અને ઉત્રાણ વચ્ચે તથા અંકલેશ્વેર અને વડોદરા વચ્ચે પાઇપલાઈનો નાખવામાં આવી છે.

5. ગુજરાતમાં હજીરાથી ગૅસ પાઈપલાઈન શરૂ કરવમાં આવી છે. તે વિજયપુર થઈને ઉત્તર પ્રદેશમાં જગદીશપુર અને લોબીને જોડે છે. તે કુલ 1730 કિમી લાંબી છે. તે ભારતમાં સૌથી લાંબી ભૂમીગત પાઈપલાઈન છે.

6. આંધ્ર પ્રદેશમાં નરસાપુરથી કોનુર સુધી 72 કિમી લાંબી પાઈપલાઈન નાખવામાં આવી છે. આ પાઈપલાઈન દ્વારા દૈનીક છ લાખ ઘનમીટર ગૅસનું વહન થાય છે.

7. મોટા શહેરોને પાણીનો પુરવઠો પૂરો પાડવા તથા ગંદા પાણીના નિકાલ માતે પાઈપલાઈનોનું સંચાલન કરવામાં આવે છે.

8.ગૅસ ઑથોરિટી ઑફ ઇન્ડીયા લિ. દેશની લગભગ 4200 કિમી કુલ લંબાઈની પાઈપલાઈનનું સંચાલન કરે છે.

9. મથુરાથી દિલ્લી-આંબલા અને જલંધરને સાંકળતી પાઈપલાઈન દ્વારા પેટ્રોલીયમ ઉત્પાદનોની હેરફેર કરવામાં આવે છે. આવી જ પાઈપલાઈન મુંબઈ અને પુણે વચ્ચે પણ નાખેલી છે.

 


Advertisement
ભારતીય રેલ માર્ગના પ્રકાર 

ભારતના આંતરીક જળ માર્ગો વિશે ટૂંક નોધ લખો. 

વિદ્યુતગ્રીડ

Advertisement