CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારતની સડકોના પ્રકારની ચર્ચા કરો.
પ્રવાહી પદાર્થો અને કુદરતી વાયુની હેરફેર માટે પાઈપલાઈન સૌથી વધુ સુવિધાજનક સાધન છે. પ્રેટ્રોલીયમ અને તેની પેદાશો તથા ગૅસ ને લાંબા અંતર સુધી લઈ જવા માટે પાઇપલાઈનનો ઉપયોગ કરવામાં આવે છે. પાઈપલાઈન સુવીધાજનક છે, કારણ કે
1. ઉબડખાબડ ભૂમિ તથા પાણીની નીચે પણ પાઈપલાઈન નાખી શકાય છે.
2.તેના સંચાલન તથા જાળવણી પાછળ ખુબ જ ઓછુ ખર્ચ આવે છે.
3. ઉર્જા ક્ષમતા તેમજ પર્યાવરણની સાચવણીની દ્વષ્ટિએ તે શ્રેષ્ઠ વ્યવસ્થા છે.
ભારતમાં પાથરવામાં આવેલી પાઈપલાઈનની માહિતી નીચે પ્રમાણે છે.
1. અસમમાં દિગ્બોઈ તેલક્ષેત્રથી નૂનમતી રિફાઈનરી સુધી 443 કિમી લાંબી અને નૂનમતીથી બિહારમાં
બરૌની રિફાઈનરી સુધી 742 કિમી લાંબી પાઈપલાઈન નાખવામાં આવે છે.
2. અંક્લેશ્વર તેલક્ષેત્રને કોયલી ખાતે ગુજરાત રિફાઈનરી સાથે જોડતી પાઈપલાઈન 1965 માં નાખવામાં
આવી હતી.
3. કલોલ સાબરમતી પાઈપલાઈન, નવાગામ કલોલ કોયલી પાઈપલાઈન અને બોમ્બે હાઈ કોયલી પાઈપલાઈન નાખવામાં આવી છે.
4. ખંભાત અને ધુવારણ વચ્ચે, અંકલેશ્વર અને ઉત્રાણ વચ્ચે તથા અંકલેશ્વેર અને વડોદરા વચ્ચે પાઇપલાઈનો નાખવામાં આવી છે.
5. ગુજરાતમાં હજીરાથી ગૅસ પાઈપલાઈન શરૂ કરવમાં આવી છે. તે વિજયપુર થઈને ઉત્તર પ્રદેશમાં જગદીશપુર અને લોબીને જોડે છે. તે કુલ 1730 કિમી લાંબી છે. તે ભારતમાં સૌથી લાંબી ભૂમીગત પાઈપલાઈન છે.
6. આંધ્ર પ્રદેશમાં નરસાપુરથી કોનુર સુધી 72 કિમી લાંબી પાઈપલાઈન નાખવામાં આવી છે. આ પાઈપલાઈન દ્વારા દૈનીક છ લાખ ઘનમીટર ગૅસનું વહન થાય છે.
7. મોટા શહેરોને પાણીનો પુરવઠો પૂરો પાડવા તથા ગંદા પાણીના નિકાલ માતે પાઈપલાઈનોનું સંચાલન કરવામાં આવે છે.
8.ગૅસ ઑથોરિટી ઑફ ઇન્ડીયા લિ. દેશની લગભગ 4200 કિમી કુલ લંબાઈની પાઈપલાઈનનું સંચાલન કરે છે.
9. મથુરાથી દિલ્લી-આંબલા અને જલંધરને સાંકળતી પાઈપલાઈન દ્વારા પેટ્રોલીયમ ઉત્પાદનોની હેરફેર કરવામાં આવે છે. આવી જ પાઈપલાઈન મુંબઈ અને પુણે વચ્ચે પણ નાખેલી છે.