ેઅહાયકારી યોજના અને ખાલસાનીતિની વિશેષતાઓ વિશે ચર્ચા કરો.
સહાયકારી યોજના :
1) ભારતમાં ફ્રેંચોને શક્તિશાળી બનતા અટકાવવા અને ભારતનાં દેશી રાજ્યોમાં અંગ્રેજ સત્તાને સર્વોપરી બનાવવા લૉર્ડ વેલેસ્લીએ 'સહાયકારી યોજના' બનાવી હતી. (2) આ યોજના હિંદી રાજ્યિ તેમના જોખમે પરાધીન બનાવનારી હતી. (3) આ યોજના સ્વીકારનાર રાજાએ પોતાના રાજ્યમાં અંગ્રેજોનું લશ્કર રાખવું પડતું અને તેનું ખર્ચ ભોગવવું પડતું અથવા ખર્ચ પેટે પોતાનો અમુક પ્રદેશ કંપનીને આપવો પડતો. (4) આ યોજનાના અમલ માટે દરેક રાજાએ પોતાના રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડતો. (5) આ યોજના સ્વીકારનાર રાજા પોતાના રાજ્યમાં અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખી શકતો નહી. (6) આ યોજના મુજબ દેશી રાજાઓને એંગ્રેજ સૈન્ય મળતું, પરંતુ તેઓ તેનો ઉપયોગ કરી શકતા નહી.
ભારતના દેશી રાજાઓ માતે સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી શરૂઆતમાં સલામતીનો અનુભવ કરાવતી આ યોજના ધીરે ધીરે રાજાઓને ગુલામીનો અનુભવ કરાવવા લગી. દેશી રાજાઓ કાયર, નિષ્ક્રિય અને વિલાસી બન્યા. તેમનું યુદ્વ-કૌશલ અને શુરવીરતા નાશ પામ્યાં.
ખાલસાનીતિ :
રાજાની સત્તાનો અંત લાવી તેના રાજ્યને સીધું જ અંગ્રેજ શાસન નીચે મૂકવું એટલે ખાલસાનીતિ. ખાલસાનીતિ લૉર્ડ ડેલહાઇદીએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિ હતી. આ નીતિનો તેણે ત્રણ રીતે અમલ કર્યો જે નીચે પ્રમાણે છે :
(1) રાજ્યમાં ગેરવહીવટનું બહાનું રજૂ કરી તેણે આશ્રિત રાજાઓનાં રાજ્યો ખાલસા કર્યાં. દા. ત., અયોધ્યાનું રાજ્ય.
(2) બિનવારસ મૃત્યુ પામેલા રાજાઓનો પુત્ર દત્તક લેવાનો હક નામંજૂર કરીને તેમનાં રાજ્યો ખાલસા કર્યાં. દા. ત., સાતારા, જૈતપુર, ઝાંસી, સંબલપૂર, નાગપુર, આર્કટ, તાંજોર, કર્ણાટક વગેરે.
(3) તેણે યુદ્વો દ્વારા જીતેલા રાજ્યો ખાલસા કર્યાં. દા. ત., તેણે શીખોને યુદ્વમાં હરાવીને પંજાબ ખાલસા કર્યું. તેણે મ્યાનમારના રાજાને હરાવીને તેની પાસેથી રંગૂન સહિતનો પેગુ પ્રાંત પડાવી લીધો.