ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણની આવશ્યકતા શાથી ઊભી થઈ ?
રાષ્ટ્રીય શિક્ષણનો આરંભ એ બંગભંગના આંદોલનનું ત્રીજું મહત્વનું લક્ષણ હતું. બંગભંગના આંદોલનમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો. તેથી તેમને સામૂહિક દંડ કરવામાં આવ્યો. તેમને શાળા-કૉલેજોમાંથી કાઢી મૂકવામાં આવ્યા, વળી, આંદોલન દરમિયાન સરકારી શિક્ષણનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આથી સરકારી શિક્ષણના વિકલ્પ તરીકે રાષ્ટ્રીય શિક્ષણની આવશ્યકતા ઉભી થઈ. આથી રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થાઓ શરૂ કરવામાં આવી. ઇ.સ. 1907માં બંગાળામાં 300 જેટલી રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ અને 25 જેટલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ શરૂ થઈ. રવીન્દ્વનાથ ટાગોરે ઇ.સ. 1901 માં શાંતિનિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલય શરૂ કર્યું. પંડિત માલવિયાજીએ બનારસ હિંદુ યુનિવર્સિટીની ભાવના વધારવા દેશમાં રાષ્ટ્રીય શિક્ષણની શરૂઆત કરવામાં આવી.