ભારતના બંધારણના મુખ્ય ઘડવૈયા કોણ કોણ હતા ?
ભારતના બંધારણના મુખ્ય ઘડવૈયાઓમાં જવાહરલાલ નહેરું, ડૉ. રાજેન્દ્વપ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મોલાના અબુલ કલામ આઝાદ, શ્યામાપ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિઘ વગેરે રાષ્ટ્રીય નેતાઓ હતા. આ ઉપરાંત, બંધારણસભામાં અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર, ડૉ.ભીમરાવ આંબેડકર, ડૉ. કનૈયાલાલ એમ. મુનશી વગેરે બંધારણીય નિષ્ણાતો હતા. તેમાં ઍંગ્લો-ઇન્ડિયનોના પ્રતિનિધિ તરીકે ફ્રૅન્ક ઍન્થની અને પારસીઓના પ્રતીનિધિ તરીકે એચ. પી. મોદી હતા. તેમાં સ્ત્રી-સભ્યો તરીકે સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત હ્તાં
બંધારણસભાના અધ્યક્ષ તરીકે ડૉ.રાજેન્દ્વપ્રસાદને ચુંટવામાં આવ્યા હતા. બંધારણનો મુસદ્દો તૈયાર માટે બંધારણસભાએ ડૉ.ભીમરાવ આંબેડકરના અધ્યક્ષપદે ખરદા સમિતિની રચના કરી હતી.