બંધારણ એટલે શું ? બંધારણનું મહત્વ સમજાવો.
દેશનો વહીવટ કરવા માટે ઘડવામાં આવેલા નિયમોના સુવ્યવસ્થિત સંગ્રહને ‘બંધારણ’ કહેવામાં આવે છે.
બંધારણ એ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે. બંધારણને સુસંગત તેમજ બંધારણમાં દર્શાવેલી જોગવાઈઓને આધીન રહીને જ કાયદા ઘડવામાં આવે છે. બંધારન કાયદાઓથી સર્વિપરી છે. આપણા દેશમાં સંઘ અને રાજ્યોનું શાસનતંત્ર બંધારણ પ્રમાણે જ ચાલે છે. સમય પ્રમાણે લોકોની બદલાતી જરૂરિયાતો, આકાંશાઓ, અપેક્ષાઓ, ઈચ્છાઓ અને ભાવનાઓનું પ્રતિબિંબ બંધરણમાં જોવા મળે છે. તેથી બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે.
બંધારણ ભારતની લોકશાહી સરકાર માટે અસાધરણ મહત્વ ધરાવે છે.