Chapter Chosen

કુદરતી વનસ્પતિ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે ? 

Advertisement
જંગલોનું પર્યાવરણીય મહત્વ શું છે ?

જંગલોનું પર્યાવરણીય મહત્વ નીચે મુજબ છે.

જંગલો વાતાવરણને ઠંડું રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે.

જંગલો વાતાવરણમાં ભેજ પ્રસરાવી આબેહવાને વિષમ બનતી અટકાવે છે.

જંગલો હવામાંથી કાર્બન ડાયૉક્સાઈટ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી પ્રાણદાયી ઑક્સિજન વાયુ આપે છે.

નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરવા માટે જંગલો ખૂબ ઉપયોગી છે.

તે પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે.

તે રણને આગળ વધતું અટકાવી, ફળદ્રુપ જમીનોનું રક્ષણ કરે છે.

જંગલો ભેજ સંઘરી રાખે છે અને ભૂમિગત જળને જાળવી રાખે છે.

જંગલો પ્રદૂષણમાં ઘટાડો કરે છે અને પર્યાવરણમાં સમતુલા જાળવી રાખે છે.

તે કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે.

તે હવાને શુદ્ધ રાખે છે.

તે વન્ય જીવસૃષ્ટિને કુદરતી રહેઠાણ પૂરુ પાડે છે.

જંગલો ‘સાહસિક-પ્રવાસન પ્રવૃત્તિ’ માટે આદર્શ ક્ષેત્રો છે.

ભારતમાં કેટલાક જંગલો રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો માટે આરક્ષિત કરવામાં આવ્યાં છે.


Advertisement
ભારતનાં જંગલોના પ્રકાર જણાવો. 

જંગલોના વિનાશના કારણો કયાં કયાં છે ?

જંગલ વિનાશની અસરો કઈ કઈ છે ? 

Advertisement