CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
જંગલોનું પર્યાવરણીય મહત્વ નીચે મુજબ છે.
જંગલો વાતાવરણને ઠંડું રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે.
જંગલો વાતાવરણમાં ભેજ પ્રસરાવી આબેહવાને વિષમ બનતી અટકાવે છે.
જંગલો હવામાંથી કાર્બન ડાયૉક્સાઈટ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી પ્રાણદાયી ઑક્સિજન વાયુ આપે છે.
નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરવા માટે જંગલો ખૂબ ઉપયોગી છે.
તે પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે.
તે રણને આગળ વધતું અટકાવી, ફળદ્રુપ જમીનોનું રક્ષણ કરે છે.
જંગલો ભેજ સંઘરી રાખે છે અને ભૂમિગત જળને જાળવી રાખે છે.
જંગલો પ્રદૂષણમાં ઘટાડો કરે છે અને પર્યાવરણમાં સમતુલા જાળવી રાખે છે.
તે કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે.
તે હવાને શુદ્ધ રાખે છે.
તે વન્ય જીવસૃષ્ટિને કુદરતી રહેઠાણ પૂરુ પાડે છે.
જંગલો ‘સાહસિક-પ્રવાસન પ્રવૃત્તિ’ માટે આદર્શ ક્ષેત્રો છે.
ભારતમાં કેટલાક જંગલો રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો માટે આરક્ષિત કરવામાં આવ્યાં છે.