Chapter Chosen

મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્વાંતો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો વિશે જણાવો. 

મૂળભૂત હકોની અગ્ત્યતા સમજાવો. 


Advertisement
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ દર્શાવો. 

દેશના રષ્ટ્રીય જીવન અને સામજિક જીવનનાં જુદાં જુદાં નીતિવિષયક ક્ષેત્રો વિશે તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નીતિઓ નક્કી કરવમાં માર્ગદર્શક બનતા સિદ્ધંતોને ‘રાજનીતિના માર્ગદર્શક સિદ્ધંતો’ કહેવામાં આવે છે.

દેશમાં સામજિક, આર્થિક અને રાજકિય ન્યાય પર આધારિત સમાજવ્યવસ્થા સ્થાપવી એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મુખ્ય લક્ષ્ય છે.

ભારત એક કલ્યાણ રાજ્ય; બને એવો આદર્શ આ સિદ્ધાંતોએ સેવ્યો છે.

દેશમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવા માટે રાજ્ય સન્નિષ્ઠ પ્રયસો કરે એવો માર્ગદર્શક આદેશ આ સિદ્ધાંતો દ્વારા આપવામાં આવ્યો છે.

મૂળભૂત હકો ઉપરાંત, મનુષ્યના સર્વોત્તમ વિકાસ માટે અતિ-આવશ્યક એવા અન્ય કેટલાક હકોનો સમાવેશ આ સિદ્ધંતોમાં કરવામાં આવ્યો છે.

સ્વસ્થ વિદેશનીતિના ઘડતર માટે પણ આ સિદ્ધંતો પયાનાં રચનાત્મક સૂચનો કરે છે.

આ સિદ્ધાંતોનો અમલ રાજ્ય માટે ફરજિયાત હોતો નથી. આમ છતાં, કલ્યાણ રાજ્ય અને વિશ્વશાંતિનાં ધ્યેયને વરેલી કોઈ પણ સરકારને આ સિદ્ધાંતમાંથી મળી રહે છે.

આ સિદ્ધાંતોએ કલ્યાણકારી સમાજવાદી સમાજવ્યવસ્થાનું નિર્માણ કરવાની રૂપરેખા આપી છે.

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાવિ સમાજનું દર્શન રજુ કરે છે. આપણે કઈ દિશામાં જવાનું તે પ્રત્યે અંગુલીનિર્દેશ કરે છે. ભારતના બંધારણના ઘડવૈયા ડો.આંબેડકર કહે છે. ‘આ સિદ્ધાંતો દેશના શાસનમાં પાયાનું મહત્વ ધરાવે છે. આપણે જે સરકારોને ચૂંટીને સત્તા સોંપીએ છીએ, એ સત્તાનો ઉપયોગ તેમણે કયા હેતુઓ માટે કરવાનો છે તેની આ સિદ્ધાંતો સતત યાદ આપે તથા અપાવે છે. આ દ્રષ્તિએ એમનું મહત્વ જરાય ઓછું નથી.


Advertisement
નિવારક અટકાયત (પ્રતિબંધિત અટકાયત ધારા) વિશે લખો.

વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું ? 

Advertisement