CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
મૂળભૂત હકોની અગ્ત્યતા સમજાવો.
સ્વતંત્રતાના હક દ્વારા ભારતનો દરેક નાગરિક પોતના વિચારોને વાણી અને લેખન દ્વારા રજુ કરી શકે છે.
પરંતુ કોઈ પણ નાગરિક આ હકનો અમર્યાદિત નિરંકુશપણે ઉપયોગ કરી શકે નહિ. ભારતના બંધારણે આ હક દ્વારા આપેલી સ્વતંત્રતાઓ બધા નાગરિકોએ કેટલીક મર્યાદાઓ હેઠળ ભોગવવાની હોય છે.
ભારતનું સાર્વભૌમત્વ એકતા, અને અખંડિતતા, જાહેર શાંતિ અને સલામતિ, વિદેશો સાથે મૈત્રી ભર્યા સંબંધો, અદાલતનો તિરસ્કાર, બદનક્ષી, હિંસક ઉશ્કેરણી વગેરે બાબતોને ધ્યાનમાં રાખી નાગરિકોની સ્વતંત્રતાઓ પર રાજ્ય કાયદા દ્વારા મર્યાદાઓ અને નિયંંત્રણો મૂકી શકે છે.
ભારતનો નાગરિક શાંતિથી અને શસ્ત્રો વિના એકઠા થવાની, જાહેર સભા ભરવાની અને સરઘસો કાઢવાની સ્વતંત્રતા ધરાવે છે. પરંતું કોઈ પણ નાગરિકને રાષ્ટ્રીય ધોરી માર્ગ અને રેલમાર્ગ પર સરઘસ કાઢવાનો અધિકાર મળતો નથી.
નાગરિકોને મંડાળો, સંસ્થાઓ અને સંઘો સ્થાપવાની સ્વતંત્રતા કેટલાંક નિયંત્રણો અમે મર્યાદાઓ હેઠળ ભોગવી શકે છે.
બધા નાગરિકો જાહેર હિત જોખમાય નહિ એ રીતે ધંધો કે વ્યવસાય કરવાનો હક ભોગવી શકે છે. રાજ્ય ધંધો કે વ્યવસાય અને રોજગાર માટેની લાયકાતનાં ધોરણો નક્કી કરી શકે છે.