Chapter Chosen

ભારતનો વારસો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
આર્ય અને દ્રવિડ સંસ્કૃતિની વિગત આપો. 

આર્યો અથવા આર્ય સંસ્કૃતિ : આર્યો (નાર્કોડિક) અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતા.

તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતા નિર્માતા હતા.

તેમણે ભારતની અન્ય સંસ્કૃતિઓનાં ઉમદા તત્વો અપનાવીને એક સમન્વય કારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું.

આર્યો પ્રકૃતિપ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા-આરાધના કરતા હતા.

તેમણે પ્રકૃઍતિના તત્વોની સ્તુતિઓ (વૈદિક ઋચાઓ – મંત્રો) રચી હતી. સમય જતાં તેમાંથી યજ્ઞયાગદિ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી.

આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશને ‘આર્યવત’ નામ આપવામાં આવ્યું હતું.

આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા. ત્યાં સાત મોટી નદીઓ વહેતી હતી. તેથી એ પ્રદેશને ‘સપ્તસિંધુ’ નામ આપવામાં આવ્યુ હતું.

આર્ય રાજા ભરત કે ભરત જાતિના નામ પરથી આપણો દેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત વગેરે નામોથી પ્રસિદ્ધ થવા લાગ્યો હતો.

આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃઍતિક વારસો આપ્યો છે.

દ્રવિડો અથવા દ્રવિડ સંસ્કૃતિ : દ્રવિડો ભારતના મૂળ રહેવાશી હતા. તેઓ દ્રવિડ ભાષા બોલતા હતા.

તેઓ પષાણયુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોંહે-જો-દડોની (સિંધુખીણની) સંસ્કૃતિના સર્જકો માનવામાં આવે છે.

તેમણે દેવી માતારૂપે અને પરમાત્માને પિતારૂપે માન્યાં હતાં, જેમાંથી પાર્વતી અને શિવની પૂજાનો ખ્યાલ વિકસ્યો હતો.

આપણી સંસ્કૃતિમાં રહેલી પ્રકૃતિ-પૂજા અને પ્રાણીઓની પૂજા દ્રવિડોની ભેટ છે.

ધૂપ, દીપ અને આરતી વડે દેવ-દેવીઓની પૂજા કરવાની પ્રથા દ્રવિડોનો વારસો ગણાય છે.

દ્રવિડો માતૃમૂલક-માતૃપ્રધાન કુટુંબપ્રથા ધરાવતા હતા.

તેઓ અવકાશી ગ્રહો, હોડી, તરાપા, કાંતવું, વણવું, રંગવું વગેરેનું જ્ઞાન ધરાવતા હતા.

ઉત્તર ભારત પર આર્યોએ કાબૂ મેળવતાં દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયાં હતા.

દ્રવિડકુળની તમિલ, તેલુગું, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો (દ્રવિડો) આજે દક્ષિણ ભારતમાં જોવા મળે છે.

પ્રારંભિક તમિલ સાહિત્ય ઊર્મિની અભિવ્યક્તિથી સભર છે.


Advertisement
પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી, ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો.

‘ગુજરાતનો સાંસ્કૃતિક વારસો’ સવિસ્તર સમજાવો. 

ભારતીય વારસાનાં જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો.

સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. 

Advertisement