CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
‘કે.કા. શાસ્ત્રીએ સંશોધન – સંપાદનક્ષેત્રે મહાભારત વિશેની મધ્યકાલીને ગુજરાતી કવિઓની કેટલેક કૃતિઓનું સુંદર સંપાદન કર્યું છે. તેમણે વેદવ્યાસના મહાભારતનો મૂળ અસલી ભાગ કયો, કેટલો અને કેવો તેનું સંશોધન કરીને તેનું સંપાદન કર્યું છે. આ ઉપરાંત આયુષ્યના છેલ્લા ગાળામાં શ્રીમદભાગવત જેવા ભક્તિપુરાણના દશમસ્કંધનું સંશોધન – સંપાદન કરી તેમની વિદ્ધત પ્રતિભાનું ઉજળું પ્રમાણ પૂરું પાડ્યું છે.
અત્યાર સુધી એમના આશરે 250 ગ્રંથો અને 1500 જેટલા સંશોધનલેખો પ્રકાશિત થયા છે. દુરુ શી ગોમતીદાસજીએ એમને સંસ્કૃત કાવ્યશાસ્ત્ર. છંદશાસ્ત્ર અને વ્યાકરણ્શાસ્સ્ત્રની લગની લગાડી હતી અને તે એમનામાં જીવનભર રહી. વલ્લભાચાર્યજીના ષોડાશ ગ્રંથોનો અનુવાદ પણ એમણે 21 વર્ષની નાની વયે કરેલો. શાસ્ત્રીજીએ મધ્યકાલીન ગુજરાતીના કવિઓ વિશે ‘કવિચરિત ભાગ : 1 – 2’ અને ‘આપણા કવિઓ’ જેવા ગ્રંથો આપ્યા.
સંશોધન એ શાસ્ત્રીજીનો પ્રિય વિષય છે. હેમચંદ્રાચાર્યના ‘અપભ્રંશ વ્યાકરન’નો સમજૂતી સાથેનો ગુજરાતી અનુવાદ એમણે તૈયાર કર્યો છે. કર્યો છે. શાસ્ત્રીજીનો પ્રિય વિષય છે. હેમચંદ્રાચાર્યના ‘અપભ્રંશ વ્યાકરણ’નો સમજૂતી સાથેનો ગુજરાતી અનુવાદ એમણે તૈયાર કર્યો છે. શાસ્ત્રીજીની સંશોધક તરીકેની પ્રતિભાની નોંધ ગુજરાતના અનેક વિદ્વવાનોએ લીધી છે.
આમ, આખી જિંદગી શ્રી ‘કે.કા. શાસ્ત્રીએ સ્વાધ્યાય – સંશોધન – સંપાદન – અનુવાદ – વિવેચન ઈત્યાદિ વિદ્ધત પ્રવૃત્તિઓમાં વિતાવી છે. એમના તમામ ગ્રંથોનો ઈતિહાસ તપાસતાં એમ કહી શકાય કે શ્રી કે.કા. શાસ્ત્રીએ સંશોધક – સંપાદક – સંશોધક – સંપાદક તરીકે ગુજરાતી ભાષા – સાહિત્ય અને સંસ્કૃતિની બહુમુલ્ય સેવા કરી છે.