કારેલા, નામથી જ અમુક લોકોને તો એવું થાય કે આ તો નહિ જ. સામાન્ય રીતે યુવા વર્ગને કારેલાથી ખૂબ જ એલર્જી હોય છે. કારેલાનું નામ પડતા જ તેના સ્વાદના કારણે કદાચ ખાવાનું મન ના થાય પરંતુ કારેલા જેટલા કડવા છે તેના ગુણ અને લાભ એટલા જ મીઠા છે. કડવા લાગતા કારેલાનો દરરોજ સવારે એક નાનો ગ્લાસ જ્યુસ આપને આજીવનની ફિટ બોડી આપી શકે છે. લોકો ચોમાસાની ઋતુમાં કારેલાનું સેવન વધારે કરતાં હોય છે અને એવું માનવામાં પણ આવે છે કે આ ઋતુ દરમિયાન કારેલાનું સેવન ગુણકારી છે. આમ તો, એક આયુર્વેદિક ઔષધિ તરીકે કારેલાનું સેવન દરેક ઋતુમાં ગુણકારી છે. એવા બીજા ઘણા શાકભાજી છે જેનાથી આપણા શરીરમાં જરૃરી પોષકતત્વો મળી રહે પરંતુ કારેલાની વાત જ કંઇક અલગ છે. કારેલામાં જરૂરી પોષકતત્વો ઉપરાંત ખનિજતત્વ, પ્રોટીન, લોહતત્વ, જલતત્વ, વિટામીન એ-બી-સી, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે યોગ્ય પ્રમાણમાં હોવાથી કારેલા સર્વ ગુણકારી છે. કારેલા એ અનેક રોગોની દવા છે જેમા તાવ અને ડાયાબીટીસ વાળા દર્દી માટે તો ખાસ હિતકારી છે. વળી તે લીવર, બરોળના દર્દી, મલેરીયા, બાળકની ઊલટી, રકતવિકાર, રતાંધળાપણુ, હરસ, કરમિયા વગેરે જેવી બીમારી કે રોગોમાં શ્રેષ્ઠ દવા છે.
કારેલાની કડવાશ ઓછી કરવા માટે શાકભાજીમાં મીઠું, લીંબુ, મસાલા વગેરે મેળવવામાં આવે છે. કારેલાનો સ્વાદ ભલે કડવા હોય, પરંતુ આપણા સ્વાસ્થ તથા સૌંદર્ય બંને માટે ખૂબ જ લાભકારી હોય છે. તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને પોષક તત્વો પ્રાપ્ત થાય છે. ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ કારેલાના સેવન આરોગ્યની સુખાકારી માટેનું એક ઉત્તમ હથિયાર છે. કારેલાનું સીધુ સેવન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. વિવિધ રોગોમાં કારેલાનો વપરાશ અલગ-અલગ રીતે કરાય છે. કારેલા એવું ઔષધ નથી કે જે લેવાથી તરત જ રોગ મટી જાય, પણ કેટલાક રોગોમાં કારેલાનો અને એના પાનના લાંબા ગાળાનો ઉપયોગ ખૂબ જ અસરકારક નીવડે છે.
કારેલા એક ઔષધી તરીકે :
કારેલા ડાયાબિટિસમાં રામબાણ ઔષધીનું કામ કરે છે. કુણા કારેલાના ટુકડા કરી, છાયડાંમાં સુકવી, બારીક ખાંડી તેમા 1-10 ભાગે કાળા મરી નાખી સવાર સાંજ પાણી સાથે 5 થી 10 ગ્રામ રોજ લેવાથી પેશાબ માર્ગે સાકરનું પ્રમાણ ઓછુ થઇ જાય છે. તે ઉપરાંત કારેલાનો રસ 20 ગ્રામ, કડાછાણનું ચૂર્ણ 10 ગ્રામ, હળદર 5 ગ્રામ મેળવીને સવાર સાંજ પીવાથી ડાયાબીટીસ ધીમે ધીમે નાશ પામે છે. ઉપરાંત જેમને કારેલા ખાવા ન જ ગમતા હોય તેમણે કારેલાને બૂટમાં નાખી એનો ફાયદો પગ દ્રારા મેળવી શકે છે.
કારેલાના પાનના રસમાં સફેદ મરી ઘસીને રોજ સવારે તેમ જ રાત્રે આંખમાં ટીપાં પાડવાથી થોડા જ દિવસોમાં લાભ થાય છે. કારેલાના પાનના રસમાં લીંડીપીપર મેળવી આંખની આજુબાજુ (બહારની તરફ) મર્દન કરવાથી રતાંધળાપણું મટે છે. આ રસ અને લીંડીપીપર ઘસીને બનાવેલા પ્રવાહીનાં ટીપાં આંખમાં નાખવાથી પણ ખૂબ ફાયદો થાય છે.
કારેલાના પાનનું ચૂર્ણ કરી આ ચૂર્ણ 5-5 ગ્રામ લઈ એમાં 1-1 ગ્રામ હળદર ઉમેરી દરરોજ સવાર, બપોર, સાંજ દિવસમાં ત્રણ વાર ગરમ પાણી સાથે લેવાથી રક્તદોષ, ખરજવું, ખસ, ખૂજલી, દાદર, કોઢ જેવા તમામ ચામડીના રોગોમાં ફાયદો થાય છે.
કારેલાને ભઠ્ઠીમાં શેકી એના ગર્ભને સાકરમાં મેળવી દરરોજ બે વાર સવાર-સાંજ 200 મિલીલીટર પાણીમાં મેળવીને પી જવાથી આમવાત તેમ જ સંધિવાતમાં ખૂબ જ ફાયદો થાય છે. પીડા થતી હોય એ સ્થાનમાં રસને ગરમ કરી એમાં ગૂગળ મેળવી લેપ કરવાથી વેદના શમે છે.
પથરી થઈ હોય ત્યારે કારેલાના પાનના રસમાં સહેજ યવક્ષાર નાખીને રોજ બે-બે વાર લેવાથી પથરી ઓગળીને સરળતાથી નીકળી જાય છે. પેશાબ અટકતો હોય, વેદના થતી હોય અને પેશાબ ધૂંધળો આવતો હોય ત્યારે કારેલાના આખા વેલાનો રસ કાઢી એમાં અડધો ગ્રામ હિંગ મેળવીને આપવાથી પેશાબની તકલીફ મટે છે.
કારેલાના પાનના રસમાં મોટી હરડે પ્રત્યેક ફળનું વજન 35 થી 40 ગ્રામવાળું ઘસીને પિવડાવવાથી કમળો-જૉન્ડિસ મટે છે. કારેલાને શાકરૂપે તલના તેલમાં રાંધીને ખાવાથી તેમ જ કારેલાના પાનના તેમ જ ફળના રસને તલના તેલમાં સિદ્ધ કરીને લેવાથી કૉલેરા મટે છે.
કારેલા કૃમિઘ્ન છે. એટલે એના ફળનો તેમ જ પાનનો રસ કાઢી એમાં વાવડિંગનું ચૂર્ણ મેળવી પંદરથી વીસ દિવસ સુધી આપવાથી કૃમિનો તેમ જ કૃમિને કારણે થતા ઉપદ્રવોનો નાશ થાય છે.
કારેલાના પાનના રસમાં તેમ જ એના ફળના રસમાં અડધો ભાગ સાટોડીનો રસ તેમ જ પા ભાગ જૂનો ગોળ મેળવીને લેવાથી એનીમિયામાં સારો ફાયદો થાય છે.
ધાવણ ભારે થઈ ગયું હોય અથવા બગડી ગયું હોય ત્યારે કારેલાના પાનનો રસ 20 મિલીલીટર લઈ એમાં એક ગ્રામ પહાડમૂળ તેમ જ એક ગ્રામ હળદર ઉમેરી સહેજ મધ મેળવી એકાંતરે લેવાથી ખૂબ જ ફાયદો થાય છે. ધાવણ ઓછું આવતું હોય તો કારેલાના પાનના રસમાં શતાવરી તેમ જ જીવંતી ઉમેરી મધ તથા દૂધમાં આપવાથી ધાવણ સારી રીતે વધે છે.
હથેળી અને પગનાં તળિયાંમાં દાહ થતો હોય તો 20 મિલીલિટર કારેલાના પાનના રસમાં 10 ગ્રામ ખડી સાકર મેળવીને પી જવાથી તેમ જ લગાવવાથી સારો આરામ મળે છે.
કારેલાના સેવનથી થતા લાભ :
Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…
Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…
Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…
Some info about Inch Inches are a unique measure that persuades us that even the…
You should be familiar with logarithms to understand antilogarithms in a better manner. Logarithms involve…
यहां "नाटककार सुरेंद्र वर्मा" पुस्तक की पीडीएफ विद्यार्थी, शोधार्थी और जो इसका अभ्यास के लिए…