ગિજુભાઈ બધેકા (૧૫ નવેમ્બર ૧૮૮૫ – ૨૩ જૂન ૧૯૩૯) શિક્ષણવિદ્ હતા, જેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.
તેઓ “મૂછાળી મા” ના હૂલામણાં નામથી જાણીતા હતા. તેઓ શિક્ષણવિદ્ બન્યા પહેલાં હાઇકોર્ટમાં વકીલ હતા. ૧૯૨૩માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી. ૧૯૨૦ના દાયકામાં તેમણે બાલ મંદિરની સ્થાપના કરી હતી.[૨] તેમણે શિક્ષણના ક્ષેત્રના અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા હતા, જેમાં દિવાસ્વપ્ન અત્યંત વખણાયું છે.
તેમનો જન્મ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચિત્તળ ગામમાં થયો હતો. તેમનું જન્મનું નામ ગિરજાશંકર હતું. તેમનો ઉછેર ભાવનગરમાં થયો હતો. ૧૯૦૭માં તેઓ ધંધાર્થે પૂર્વ આફિક્રા અને પછી મુંબઈ ગયા હતા. ૨૩ જૂન ૧૯૩૯ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.
શિક્ષણક્ષેત્રે યોગદાન
ગિજુભાઈએ ૨૦૦ જેટલાં પુસ્તકો લખ્યા હતા, જેમાં બાળસાહિત્યનો પણ સમાવેશ થાય છે.
વાર્તાનું શાસ્ત્ર (૧૯૨૫). માબાપ થવું આકરૂં છે. સ્વતંત્ર બાલશિક્ષણ. મોન્ટેસરી પદ્ધતિ (૧૯૨૭). અક્ષરજ્ઞાન યોજના. બાલ ક્રીડાંગણો. આ તે શી માથાફોડ? (૧૯૩૪). શિક્ષક હો તો (૧૯૩૫). ઘરમાં બાળકે શું કરવું.
ઈસપનાં પાત્રો. કિશોર સાહિત્ય (૧-૬). બાલ સાહિત્ય માળા (૨૫ ગુચ્છો). બાલ સાહિત્ય વાટિકા (૨૮ પુસ્તિકા). જંગલ સમ્રાટ ટારઝનની અદ્ભૂત કથાઓ (૧-૧૦). બાલ સાહિત્ય માળા (૮૦ પુસ્તકો).
પ્રાસંગિક મનન (૧૯૩૨), શાંત પળોમાં (૧૯૩૪). દિવાસ્વપ્ન.
Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…
Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…
Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…
Some info about Inch Inches are a unique measure that persuades us that even the…
You should be familiar with logarithms to understand antilogarithms in a better manner. Logarithms involve…
यहां "नाटककार सुरेंद्र वर्मा" पुस्तक की पीडीएफ विद्यार्थी, शोधार्थी और जो इसका अभ्यास के लिए…