Chapter Chosen

સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ તરીકે સંઘર્ષની ચર્ચા કરો : મુદ્દાસર જવાબ લખો.

સામાજિક ગતિશીલતાના પ્રકાર સમજાવો.

સામાજિક આંતરક્રિયાનાં લક્ષણો સ્પષ્ટ કરો.

Advertisement
સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ તરીકે સહકારની ચર્ચા કરો. 

પ્રત્યેક સમાજમાં આંતરક્રિયાનાં જુદા જુદા સ્વરૂપો જોવા મળે છે. સામાજિક આંતરક્રિયાનું વારંવારનું પુનરાવર્તન સામાજિક સંબંધો રચે છે. સામાજિક આંતરક્રિયાના ત્રણ પ્રકારો છે : (1) સહકાર, (2) સંઘર્ષ અને (3) સ્પર્ધા.

સામાજિક આંતરક્રિયાના પ્રકાર તરીકે સહકારના સ્વરૂપની સમજુતી નીચે પ્રમાણે છે :

સહકાર :

સમાન હેતુ માટે સાથે મળીને કામકામ કરવું અથવા સમાન ધ્યેય પ્રાપ્ત કરવા માટે સહિયારી ક્રિયાઓ કરવી તેને’સહકાર’ની આંતરક્રિયા કહેવામાં આવે છે.

કુટુંબના સભ્યો એકબીજાની જરૂરિયાતો સંતોષવા અરસપરસને મદદ કરે છે. પડોશમાં રહેતાં બાળકો રમતગમતના હેતુ માટે સાથે મળીને રમતો રમે છે. ઉદ્યોગોમાં પણ સંચાલકો, અધિકારીઓ, કર્મચારીઓ અને કામદારો વચ્ચે ઉદ્યોગનાં લક્ષ્યાંકોને પહોંચી વળવા સહકાર જરૂરી છે.

આમ, કોઈ પણ બે પક્ષ પાર્સ્પરના ધ્યેયની પ્રાપ્તિ માણે મદદ કરે અથવા સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે સાથે મળીને પ્રવૃત્તિ કરે તો તેને ‘સકકાર’ કહેવાય.

સહકાર એ શીખેલું વર્તન છે. સમાજીકરણની પ્રક્રિયા દ્વારા માનવી સહકારની પ્રવૃત્તિ શીખે છે.

સમાજશાસ્ત્રી ફેર ચાઇલ્ડના મતે, “સહકાર એવી પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ કે જુથ સંગઠિત થઈ પોતાના પ્રયત્નોથી સમાન ધ્યેયપ્રાપ્તિ માટે ભેગા મળે છે.”

જે ધ્યેય સાથે મળીને વધુ સારી રીતે કે ઝડપથી હાંસલ કરી શકાય તેને માટે, અથવા માનવી પોતાની જરૂરિયાતો કે હિતો પૂરાં કરવા માટે સભાનતાપૂર્વક અને બુદ્વિપૂર્વક સહકાર સાધીને મંડળો રચે છે. આ મંડળોનાં ધોરણો નક્કી કરી તેમાં વ્યક્તિઓ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે સાથે મળીને કામ કરે છે. દા. ત., દૂધ ઉત્પાદક સહકારી મંડળી, સહકારી બૅન્ક, સહકારી ગૃહનિર્માણ સોસાયટી વગેરે.

સહકારની પ્રક્રિયા રચનાત્મક છે. સહકારથી સાથે કામ કરનારા લોકો કામકાજની વહેંચણી કરીને પોતાનું સહિયારું ધ્યેય પ્રાપ્ત કરતા હોય છે. સહકારની સામાજિક આંતરક્રિયા વ્યક્તિઓ કે જૂથો વચ્ચે એકતા વિકસાવે છે. સહકાર સંગઠનમાં અનુક પ્રમાણમાં સહકારની પ્રક્રિયા અનિવાર્ય છે. સહકાર વગર વ્યક્તિ, સમૂહ કે સમાજનો વિકાસ સંભવી શકે નહી.

સમાજશાસ્ત્રી મેકાઇવરના મત પ્રમાણે સહકારની આંતરક્રિયાના બે પ્રકારો છે જે નીચે મુજબ છે :

1 પ્રત્યક્ષ સહકાર :

ધ્યેયપ્રાપ્તિ માટેનો સીધો સંયુક્ત પ્રયાસ તે ‘પ્રત્યક્ષ સહકાર’ છે. પ્રાથમિક જૂથોમાં આ પ્રકારનો સહકાર મુખ્ય હોય છે. કુટુંબ, મિત્રજૂથ, પડોશ જૂથ, ગ્રામસમુદાય, આદિવાસી સમુદાય વગેરેમાં પ્રત્યક્ષ સહકારનું પ્રમાણ અને મહત્વ વધુ હોય છે. સહકારી મંડળીઓ પ્રત્યક્ષ સહકારનું ઉદાહરણ છે.

2 પરોક્ષ સહકાર :

એક જ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિઓ શ્રમવિભાજનની રીતે એકબીજાને મદદરૂપ થાય ત્યારે તેને ‘પરોક્ષ સહકાર’ કહેવાય. આ પ્રકારના સહકારમાં પ્રવૃત્તિઓને વિભાજિત કરવામાં આવે છે. સમાન ધ્યેય પ્રાપ્ત કરવા માટે જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે. દા. ત., કાપડનું ઉત્પાદન કરવા માટે કાપડના એક વિશાળ કારખાનામાં જુદી જુદી વ્યક્તિઓ જુદાં જુદાં કામ કરે છે. તે બધાં કાર્યોના સરવાળે કાપડનું ઉત્પાદન થાય છે. આમ, મોટા પાયા પર ચાલતા ઉદ્યોગો પરોક્ષ સહકારનું ઉદાહરણ છે. વિશાળ જૂથોમાં પરોક્ષ સહકાર જોવા મળે છે.

પ્રત્યક્ષ સહકાર માનવીને સામાજિક અને માનસિક સંતોષ તથા હુંફ આપે છે, જ્યારે પરોક્ષ સહકાર વ્યક્તિને એકલતાની ભાવનાનો અનુભવ કરાવે છે અને ક્યારેક અનેક માનસિક સમસ્યાઓ સર્જે છે.


Advertisement
સામાજિક ક્રિયાનાં તત્વોની સમજૂતી આપો. 

Advertisement