CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારતનું પૂર્વ ગોળાર્ધમા મોકાનું સ્થાન છે ? શાથી ?
જગતનો બહુ મોટાભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર સમુદ્રમાર્ગે થાય છે, એતૅલે જે દેશને સમુદ્રકિનારાનો લાભ મ્ળ્યો છે તે પોતાનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળતાથી વિકસાવી શકે છે.
ભારત લગભગ 7500 કિમી લાંબો સમુદ્રકિનારો અને મોખરાનું ભૌગોલિક સ્થાન ધરાવે છે. તેના સમુદ્રમાર્ગો નજીકના પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા દક્ષિણ-પૂર્વ એશિયા, ઑસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકા તરફ જાય છે. આ ઉપરાંત, તેના લાંબા સમુદ્રમાર્ગો સુએઝની નહેરમાં થઈને યુરોપ, ઉત્તર આફ્રિકા અને ઉત્તર અમેરિકા; કેપ ઑફ ગુડ હોપ થઈને પશ્ચિમ આફ્રિકા તથા દક્ષિણ અમેરિકા અને ઈન્ડોનેશિયાની મલાક્કાની સામુદ્રધાનીમાં થઈને પૅસિફિક મહાસાગર પસાર કરીને કૅનેડા અને યૂ.એસ.એ. પહોંચી શકાય છે. આમ, સમુદ્રમાર્ગોનો બહોળો લાભ મળવાથી ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર ખુબ સરળ બન્યો છે.