ભારતનું પૂર્વ ગોળાર્ધમા મોકાનું સ્થાન છે ? શાથી ?
ભારત દક્ષિણ એશિયાની મધ્યમ હિંદ મહાસગરના શિર્ષસ્થસ્થાને છે. આ કારણે પ્રાચીન કાળથી ભારતને માટે એશિયાના દેશો અને પૂર્વ આફ્રિકા સાથે સમુદ્રમાર્ગે ઘનિષ્ઠ સબંધો બાંધવા શક્ય બન્યા છે.
સુએઝ નહેર બંધાયા પછી ભારતના યુરોપ અને અમેરિકાના દેશો સાથેના સંબધોનો ઘણો વિકાસ થયો છે.
પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયા અને ઑસ્ટેલિયાથી સુએઝ માર્ગે યુરોપ અને અમેરિકા જતા દરિયાઈ માર્ગો અને હવાઈ માર્ગો ભારત પરથી કે ભારત પાસેથી પસાર થાય છે. એ દ્રષ્ટિએ ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે.