ભારતીય સૈન્ય અકાદમી દહેરાદૂનની સ્થાપના 1 October 1932 ના દિવસે કરવામાં આવેલી.
આ સંસ્થા દેશની સર્વોત્તમ સૈન્ય અધિકારીઓની પ્રશિક્ષણ સંસ્થા છે.
“हर बार और हमेशा, अपने देश की सुरक्षा, सम्मान और कल्याण के हित में काम करना आपका सबसे पहला कर्त्तव्य है। उसके बाद, अपने अधिपत्य में काम कर रहे व्यक्तियों के सम्मान, कल्याण और सुख-सुविधा का ख्याल रखना. और सबसे अंत में, हर बार और हमेशा, अपने ख़ुद के आराम, सुख-सुविधा और सुरक्षा पर ध्यान देना.”
IMA ની પ્રથમ બેચના કેડેટ્સમાં ત્રણ નામ નીચે મુજબ છે.
1. ફિલ્ડ માર્શલ સામ માણેકશા. (ભારતીય સેનાધ્યક્ષ)
2. સ્મિથ દૂન – (બર્મા) મ્યાનમારના સેનાધ્યક્ષ
3. જનરલ મુસાખાન (પાકિસ્તાનના સેનાધ્યક્ષ)
આ નામો જ આપણને આઝાદી પૂર્વે આ સંસ્થાના કાર્યોનું મહત્વ સમજાવવા પૂરતા છે.
દરેક દેશવાસી માટે ગૌરવરૂપ સૈન્ય પ્રશિક્ષણ સંસ્થામાં પ્રવેશ મેળવવા માગતા યુવાનો માટે અગત્યની જાણકારી.
જે યુવાનો ભારતીય સૈન્ય અકાદમી, દહેરાદૂનમાં તાલીમ લેવા પ્રવેશ ઇચ્છતા હોય તેઓએ આ બાબતો ધ્યાનમાં લેવી.
પ્રવેશ માટે લેખિત પરીક્ષા, શારીરિક અને માનસિક ક્ષમતા કસોટી અને ઇન્ટરવ્યુ પસાર કરવાનું હોય છે.
પ્રવેશ પરીક્ષા નીચેની રીતોથી આપી શકાય છે.
1. NDA પરીક્ષા આપીને: ધોરણ 12 PCM વિષયો સાથે પાસ કરનાર પુરુષ ઉમેદવાર આ પરીક્ષા આપી શકે છે. ઉમર મર્યાદા 16.5 થી 19 વર્ષ છે. ઉમેદવાર અપરણિત હોવા જરૂરી છે.
2. CDSE પરીક્ષા આપીને: 19 થી 24 વર્ષના પુરુષ ઉમેદવાર CDS પરીક્ષા ઉત્તીર્ણ કરી પ્રવેશ માટે લાયક બની શકે. શારીરિક અને માનસિક યોગ્ય ઉમેદવાર SSB પરીક્ષા પાસ હોવા જરૂરી છે. જે CDSE પરીક્ષા પાસ કરી મેરિટમાં આવે તે IMA પ્રવેશ માટે લાયક બને છે.
3. TGC (ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ): 19 થી 25 વર્ષના ઉમેદવારો કે જેમણે BE કે BTech પરીક્ષા જરૂરી વિષયોમાં પાસ કરી હોય તેઓ પણ IMA પ્રવેશ માટે લાયક ગણાય છે.
4. યુનિવર્સિટી એન્ટ્રી સ્કીમ: 20-25 વર્ષની વયમર્યાદામાં એન્જીનિયરીંગ ડિગ્રી પાસ કરનાર કે છેલ્લા વર્ષની પરીક્ષા આપનાર અને છેલ્લી પરીક્ષામાં ઓછામાં ઓછા 60% ગુણ મેળવનાર ઉમેદવારો કેમ્પસ SSB ઇન્ટરવ્યુ પાસ કરીને IMA પ્રવેશ મેળવી શકે છે.
ઉપરની કોઈ પણ રીતે પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવા જરૂરી છે.
કોઈ પણ પ્રકારના રોગ કે અક્ષમતા ધરાવતા ઉમેદવાર પ્રવેશ મેળવી શકતા નથી.
હાડકાં અને સાંધાની કોઈ પણ પ્રકારની ખામી કે ઉણપ ધરાવતા ઉમેદવાર પ્રવેશ માટે ગેરલાયક ગણાય છે.
છાતી પૂર્ણ વિકસિત અને લઘુત્તમ 5 સે.મી. ફૂલવો ધરાવતી હોવી જોઈએ.
હ્રદયને લગતી કે લોહોની કોઈ પણ બીમારી હોવી જોઈએ નહીં, બ્લડ પ્રેશર સામાન્ય હોવું જોઈએ.
પેશાબની તપસ કરવામાં આવે છે અને તેમાં કોઈ બીમારીના લક્ષણ જણાય તો પ્રવેશ માટે ગેરલાયક ગણાય છે.
ચામડીને લગતા કોઈ પણ જાતના રોગ હોય તો પણ પ્રવેશ માટે ગેરલાયક ગણાય છે.
ઉપરોક્ત લાયકાતો ધરાવતા અને દેશપ્રેમની ભાવના હોય તેવા ઉમેદવારો પ્રવેશ પરીક્ષામાં પાસ થઈ શારીરિક અને માનસિક ક્ષમતા કસોટી પાસ કરે ત્યાર બાદ રૂબરૂ ઇન્ટરવ્યુ આપવાનું હોય છે. જેમાં પાસ થતાં ભારતીય સૈન્ય અકાદમી માં પ્રવેશ મેળવી જળહળતી સૈન્ય કારકિર્દી શરૂ કરી શકે છે.
Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…
Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…
Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…
Some info about Inch Inches are a unique measure that persuades us that even the…
You should be familiar with logarithms to understand antilogarithms in a better manner. Logarithms involve…
यहां "नाटककार सुरेंद्र वर्मा" पुस्तक की पीडीएफ विद्यार्थी, शोधार्थी और जो इसका अभ्यास के लिए…