Chapter Chosen

પર્યાવરણ અને સમાજ

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
કિરણોત્સર્ગ પ્રદુષણની સમજૂતી આપો. 

વર્તમાન સમયમાં પરમાણુશક્ત્તિના વિવિધ ઉપયોગના કારણે આકાશમાં માનવર્સજિત કિરણોત્સર્ગનું પ્રમાણ વધ્યું છે. જેના પરિણામે માનવીના સમાજજીવનમાં અનેક આડાઅસરો થઈ છે. પર્યાવરણના ઘટક તત્વ તરીકે આકાશમાં ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. જેનું મુખ્ય કાર્ય સૂર્યનાં પ્રચંડ કિરણોને રોકી શકાય જરૂર પડતાં કિરણોને જ પૃથ્વી પર આવવા દે છે. આના કારણે પૃથ્વી પર જીવસૃષ્ટિનું સાતત્ય જળવાય છે. માનવીએ પોતાની વિવિધ અવકાશીય પ્રવૃત્તિઓ દ્વારા આકાશમાં રહેલા ઓઝોન વાયુના સ્તરને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આથી પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે અને સજીવસૃષ્ટિનું જીવન મુશ્કેલ થઈ રહ્યું છે.

500 રેમ કે તેથી વધુ માત્રામાં આવેલા કિરણોત્સર્ગથી સજીવ પ્રાણીઓના ચેતાતંત્રને નુકસાન થાય છે. શરીરમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે અને કોઈક વાર માનવી અડધા કલાકમાં બેભાન થઈ જાય છે. ક્યારેક શ્વસનતંત્ર અને ચેતાતંત્રને નુકસાન થતાં માનવીનું મૃત્યુ પણ થાય છે.

ખૂબ જ ઊંચી માત્રાના કિરણોત્સર્ગ માનવીના આરોગ્ય પર લાંબા ગાળાની અસરો પેદા કરે છે. માનવીના રંગસૂત્રોમાં ખામી સર્જાતાં તેની દૂરગામી અસરો જોવા મળે છે. પેઢીઓ સુધી ખોડ-ખાંપણવાળાં બાળકો જન્મે છે, જે ગુણવત્તાયુક્ત સમાજના સાતત્યને અવરોધે છે.


Advertisement
‘ગ્રીનહાઉસ ઇફેક્ટ’ કોને કહેવાય ?

જમીન પ્રદુષણની સમજૂતી આપો. 

‘ચિપકો આંદોલન’ વિશે સમજૂતી આપો. 

ઘોંઘાટ, અવાજ અને ધ્વનિ પ્રદુષણની સમજૂતી આપો. 

નર્મદા બચાવો આંદોલનની સમજુતી આપો. 

Advertisement