CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વર્તમાન સમયમાં પરમાણુશક્ત્તિના વિવિધ ઉપયોગના કારણે આકાશમાં માનવર્સજિત કિરણોત્સર્ગનું પ્રમાણ વધ્યું છે. જેના પરિણામે માનવીના સમાજજીવનમાં અનેક આડાઅસરો થઈ છે. પર્યાવરણના ઘટક તત્વ તરીકે આકાશમાં ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. જેનું મુખ્ય કાર્ય સૂર્યનાં પ્રચંડ કિરણોને રોકી શકાય જરૂર પડતાં કિરણોને જ પૃથ્વી પર આવવા દે છે. આના કારણે પૃથ્વી પર જીવસૃષ્ટિનું સાતત્ય જળવાય છે. માનવીએ પોતાની વિવિધ અવકાશીય પ્રવૃત્તિઓ દ્વારા આકાશમાં રહેલા ઓઝોન વાયુના સ્તરને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આથી પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે અને સજીવસૃષ્ટિનું જીવન મુશ્કેલ થઈ રહ્યું છે.
500 રેમ કે તેથી વધુ માત્રામાં આવેલા કિરણોત્સર્ગથી સજીવ પ્રાણીઓના ચેતાતંત્રને નુકસાન થાય છે. શરીરમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે અને કોઈક વાર માનવી અડધા કલાકમાં બેભાન થઈ જાય છે. ક્યારેક શ્વસનતંત્ર અને ચેતાતંત્રને નુકસાન થતાં માનવીનું મૃત્યુ પણ થાય છે.
ખૂબ જ ઊંચી માત્રાના કિરણોત્સર્ગ માનવીના આરોગ્ય પર લાંબા ગાળાની અસરો પેદા કરે છે. માનવીના રંગસૂત્રોમાં ખામી સર્જાતાં તેની દૂરગામી અસરો જોવા મળે છે. પેઢીઓ સુધી ખોડ-ખાંપણવાળાં બાળકો જન્મે છે, જે ગુણવત્તાયુક્ત સમાજના સાતત્યને અવરોધે છે.