ગાંધીજી ની નજરમાં અથવા દ્રષ્ટિએ કયા ગુણ કેવા હોવા જોઈએ તે તેમના કહેલાં ઉચ્ચારણોમાથી જાણી શકાય છે. અહી તેમના 5 અવતરણો મૂકેલા છે. જે આપ ઇચ્છો તો શેર પણ કરી શકશો.
‘પ્રસન્નતા એવું અત્તર છે, જે બીજા ઉપર છાંટવાથી આપણે પણ મહેકી ઊઠીએ છીએ.’ બોખું મોઢું ને હસતો ચહેરો એ ગાંધીજીનો પ્રચલિત દેખાવ હતો. હસતાં રહેવું અથવા પ્રસન્ન રહેવું એ વ્યક્તિત્વની ખૂબી છે. આજના સમયમાં માણસ હસવાનું ભૂલી રહ્યો છે. જે સમાજના તણાવ, અસહિષ્ણુતા અને લોકોના રોગોમાં વધારો કરે છે. પ્રયત્ન કરો કે બીજાને પ્રસન્ન રાખી શકો. બદલામાં તમને આનંદ અને ખુશી જરૂર મળશે.
વિશ્વાસ ક્યારે અંધવિશ્વાસ બની જાય એ જાણવું જરૂરી છે. બાપુ કહે છે, “વિશ્વાસને હમેશાં તર્કની કસોટીએ ચડાવવો જોઈએ, આંધળો વિશ્વાસ મૃત બની જાય છે.” અને એ જ અંધવિશ્વાસ બની જાય છે. વાસ્તવિકતાની કસોટીએ ખરો ઉતરે ત્યારે જ વિશ્વાસ સાચો. એમાં પણ જો અલૌકિક શક્તિઓ પર વિશ્વાસ કરવાની વાત આવે ત્યારે વિશ્વાસ અને અંધવિશ્વાસની ભેદ રેખા પાતળી હોય છે. અંધવિશ્વાસ સામાજિક પછાતપણું ફેલાવે છે. જે સમગ્ર લોકોનું જીવન દુષ્કર કરે છે.
આ ક્વોટ ગાંધીજીના અવતરણોમાં ઉચ્ચ અગ્રતાનું સ્થાન ધરાવે છે.
ખૂબ પ્રચલિત તો છે જ પણ એટલું જ મર્મસ્પર્શી છે.
જ્યારે તમે કઈક નવું કરવાની શરૂઆત કરો અથવા નવી રીતે કાર્ય કરો ત્યારે જમાનો સૌથી પહેલા તમને ઇગનોર કરશે.
તમારી અવગણના કરશે.
આ સ્ટેજ વટાવી તમે લાગ્યા રહો તો લોકો તમારી હાંસી કરશે.
અવગણના કરતાં હાંસી વધરે દુખદાઈ હોય એ સ્વાભાવિક છે.
લોકો પોતાની માન્યતાઓમાં એટલા જડ બને છે કે તેનાથી જુદું થઈ જ ના શકે તેવું તમને ઠસાવવા પ્રયત્ન કરે છે.
હજુ પણ તમે તમારો માર્ગ પકડી રાખો તો એ તમારી સામે લડાઈ કરીને પણ તમને વિચલિત કરવા પ્રયત્ન કરશે.
અને સત્ય સામે લડાઈમાં તે પરાજિત થાય ત્યારે જ તમે જીત મેળવો છો.
આથી જ માન્યતાઓ અને માર્ગની કાળજીપૂર્વકના અભ્યાસ પછી પસંદગી કરવી.
અને એકવાર એવો રસ્તો મળે પછી નિર્ભયતા અને અડગતાથી તેને પકડી રાખી સતત ચાલવું એ જીત માટે જરૂરી છે.
સારા હોવું અને સારા દેખાવું એ બંનેમાં ખૂબ ફરક છે. કપડાં અથવા બાહ્ય દેખાવ સારો હોવા છતાં અંદરના ગુણ સારા ના હોય તો તરત ખબર પડી જાય છે. માણસની સાથે બોલચાલ, વ્યવહાર, વર્તન, માન્યતાઓ એ બધુ જ તમારું ચરિત્ર નક્કી કરે છે. ચારિત્ર્યથી જે સંપન્ન હોય એને બાહ્ય દેખાવની જાજી જરૂર પડતી નથી. હીરો ખાણમાં પણ ચમકી ઊઠે છે. આમ, સમગ્ર સમાજનું ચારિત્ર્ય નિર્માણનું કામ કરવું જરૂરી છે. અંદરની સંપન્નતા બાહ્ય ખામીઓને ભરી દે છે. પણ આંતરીક અપૂર્ણતાને બાહ્ય દેખાવથી કદાચ થોડા સમય માટે ઢાંકી શકાય તો પણ લાંબે ગાળે એ ઉપસી જ આવે છે.
વિચાર, આચાર અને વ્યવહારમાં એકસમાનતા હોય એટલે એને ખુશી બીજે શોધવા ના જવું પડે.
વિચારો અને કાર્યની એકરૂપતા સાધ્યા પછી જેવા છીએ તેવા લોકો આગળ રજૂ થઈ જવામાં કશું છુપાવવાનું રહેતું નથી.
મોટી સમસ્યા એ છે કે લોકોને જે છે તેથી વિશેષ દેખાવું છે પણ વિશેષ બનવા પ્રયત્ન કરવો નથી.
ખોટો ભપકો અને ઉપરછલ્લો દેખાવ જાળવવો અઘરો છે.
વાસ્તવિકતા સામે આવે એટલે દુખનું કારણ બને છે.
આજે સામાજિક પ્રતિષ્ઠા, રાજકીય નીતિમત્તા, સુધારેલા દેખાવાનો મોહ, એ બધામાં સચ્ચાઈ કરતાં દેખાડો વધારે છે.
જે સબંધોને અવાસ્તવિક બનાવે છે.
‘બગલમે છુરી મુખમે રામ’ વાળી સ્થિતિમાં ખુશી, શાંતિ, આનંદ ના મળે.
વાસ્તવિકતાને સ્વીકારવી પડે અને તેમાં સુધારો કરવા સતત પ્રયત્નશીલ રહેવું પડે ત્યારે ખુશી મળે.
Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…
Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…
Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…
Some info about Inch Inches are a unique measure that persuades us that even the…
You should be familiar with logarithms to understand antilogarithms in a better manner. Logarithms involve…
यहां "नाटककार सुरेंद्र वर्मा" पुस्तक की पीडीएफ विद्यार्थी, शोधार्थी और जो इसका अभ्यास के लिए…