લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા પ્રધાનમંત્રી હતા.
તેમનો જન્મ 2 ઓકટોબર 1904 ના રોજ વારાણસી પાસે રામનગર નામના ગામમાં થયો હતો.
મહાત્મા ગાંધી અને શાસ્ત્રીજીની જન્મ તિથી એક સાથે આવે છે એ પણ યોગાનુયોગ છે.
શાસ્ત્રીજીનો જન્મ કાયસ્થ પરિવારમાં થયો હતો અને તેમની અટક શ્રીવાસ્તવ હતી.
એક જ વર્ષની ઉમરમાં તેમના પિતા શરદ પ્રસાદ શ્રીવાસ્તવનું અવસાન થયેલું.
આથી માતા રામદુલારી દેવી સાથે તેઓ બાળપણથી જ પોતાના મોસાળ – મુઘલસરાઈ આવી ગયા અને ત્યાં બાળપણ વીત્યું.
શરૂઆતનું શિક્ષણ ઉર્દુમાં ચાલુ કરેલું અને પછી સાતમા ધોરણથી વારાણસીની હરિશ્ચંદ્ર હાઇસ્કૂલમાં દાખલ થયા.
અહીથી તેમણે પોતાની અટક છોડી દીધી.
તેમની ધોરણ 10 ની પરીક્ષા ના ત્રણ મહિના પહેલા જ ગાંધીજી અને પંડિત મદન મોહન માલવિયાની એક સભા સાંભળવા ગયા.
ગાંધીજીએ યુવાનોને સરકારી શાળાઓ છોડી અસહકારની ચળવળમાં જોડાવા આહવાન કર્યું, બીજા જ દિવસે શાસ્ત્રીજીએ શાળા છોડી.
ત્યાર બાદ કાશી વિદ્યાપીઠની પ્રથમ બેચમાં અભ્યાસ કરી 1925 માં પ્રથમ વર્ગમાં સ્નાતક થયા. અહી સ્નાતકને શાસ્ત્રીની ડિગ્રી અપાતી.
આમ, ત્યાર પછીથી તેમની ડિગ્રી હમેશાં તેમના નામ સાથે જોડાયેલી રહી અને છેક સુધી તેઓ લાલ બહાદુર શાસ્ત્રી તરીકે ઓળખાયા.
1928થી તેઓ કોંગ્રેસના સક્રિય કાર્યકર બન્યા અને 1930ના મીઠાના સત્યાગ્રહમાં પણ ભાગ લીધો.
1940માં વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ભાગ લેતા એક વર્ષની જેલયાત્રા કરી.
1942માં ભારત છોડો આંદોલન શરૂ થયું ત્યારે તેઓ જેલમાથી તાજા જ છૂટયા હતા. પણ ‘આનંદ ભવન’ માં રહી સ્વાતંત્ર્ય સેનાનીઓને સૂચનાઓ આપવા લાગ્યા. થોડા જ દિવસમાં ફરીથી જેલયાત્રા આવી જેથી 1946 સુધી જેલમાં રહ્યા.
શાસ્ત્રીજી બધુ મળીને નવ વર્ષા જેટલો સમય જેલમાં રહ્યા.
27 મે 1964ના રોજ જવાહરલાલ નહેરુનું પ્રધાનમંત્રી રહેતાં અવસાન થયું અને ગુલઝારિલાલ નંદા કાર્યકારી વડાપ્રધાન બન્યા.
શાસ્ત્રીજી મિતભાષી અને મધ્યમમાર્ગી ગણાતા. વળી, તત્કાલિન કોંગ્રેસ પ્રમુખ કે. કામરાજ સાથે તેમણે ઘનિષ્ઠતા હતી.
બીજી તરફ મોરારજી દેસાઇ જમણેરી ગણાતા. આથી નહેરુવાદી શાસ્ત્રીજી સરળતાથી વડાપ્રધાન બન્યા.
9 જૂન 1964 ના રોજ તેઓ દેશના બીજા વડાપ્રધાન બન્યા અને આજીવન એ પદ પર રહ્યા.
તેમણે નહેરુ કેબિનેટને મોટેભાગે જાળવી રાખ્યું. ઉપરાંત, ઇન્દિરા ગાંધીને પ્રસારણ મંત્રી તરીકે સામેલ કર્યા.
તેમના કાર્યકાળમાં હિન્દીને રાષ્ટ્રભાષા ગણવા સામે દક્ષિણમાં ખૂબ વિરોધ થયો ત્યારે તેમણે વડાપ્રધાન તરીકે ખાત્રી આપી કે અંગ્રેજી બીજી રાષ્ટ્રીય ભાષા તરીકે દક્ષિણના રાજ્યો ઇચ્છે ત્યાં સુધી ચાલુ રખાશે. અને એમ કરી વિવાદ શમાવ્યો.
દેશ 1962ના ચીન સાથેના યુદ્ધની નાલોશીમાથી હજુ બહાર નીકળ્યો નહોતો અને નહેરૂના અવાસનથી બીજો ફટકો પડ્યો એવા સમયે શાસ્ત્રીજીએ દેશની કમાન સાંભળી હતી.
શાસ્ત્રીજીનું પહેલું લક્ષાંક ખેડૂતોની સ્થિતિ સુધારવાનું હતું. આણંદમાં ખેડા જિલ્લાની સહકારી ડેરીથી પ્રભાવિત થઈ તેમણે ડો. વર્ગીસ કુરિયનને આખા દેશમાં સહકારી ડેરીના લાભ ફેલાવવા પ્રોત્સાહિત કર્યા.
આણંદ ખાતે NDDB “રાષ્ટ્રીય ડેરી ડેવલપમેન્ટ બોર્ડ’ની સ્થાપના થઈ અને દેશમાં ‘શ્વેત ક્રાંતિ’ ની શરૂઆત થઈ.
બીજું અગત્યનું કાર્ય ‘હરિયાળી ક્રાંતિ’ તરફ દેશને દોરી જવામાં પણ શાસ્ત્રીજીનો મોટો ફાળો છે.
દેશમાં અનાજની અછતના સમયમાં તેમણે અઠવાડિક એક ઉપવાસ કરવાનું શરૂ કર્યું અને લોકોને પણ તેમ કરવા પ્રેરિત કર્યા.
તેમના આ આગ્રહને દેશભરમાથી પ્રતિસાદ મળ્યો. લોકો તો તેમને અનુસર્યા પણ કેટલીક હોટલો પણ સોમવારના દિવસે ‘શાસ્ત્રી વ્રત’ ની રજા રાખવા લાગી.
અનાજની અછત દૂર કરવા શાસ્ત્રીજીએ પ્રજાને ઉદાહરણ પૂરું પાડવા પોતે હળ ચલાવી દિલ્હીના સત્તાવાર નિવાસ સ્થાને અનાજ વાવેલું.
ઓગસ્ટ 1965માં પાકિસ્તાને ભારત પર આક્રમણ કર્યું તેનો દાવો અડધા કચ્છ માટે હતો. પાકિસ્તાનને એ પણ આશા હતી કે કાશ્મીરમાં જનતાની તેને સહાનુભૂતિ મળશે તથા સાથ મળશે. ભારત તાજું જ ચીન સાથેના યુદ્ધમાં હારેલું હતું.
શાસ્ત્રીજીએ જાહેર કર્યું કે ભૂખે મારવા તૈયાર છીએ પણ એક ઇંચ જમીન પણ ખોવાણી નથી.
ભારતીય સેનાએ પાકિસ્તાની આક્રમણનો જડબાતોડ જવાબ આપ્યો. એટલું જ નહીં ભારતીય સેના પંજાબ મોરચે છેક લાહોરના દરવાજે પહોચી ગઈ.
ચાલુ યુદ્ધે ચીને ધમકી આપી કે ભારતીય સેના તેની જમીનમાં ઘૂસી છે અને પીછેહઠ નહીં કરવામાં આવે તો ચીની સેના યુદ્ધમાં ઝંપલાવશે.
શાસ્ત્રીજીએ ચીની દાવાને ખારીજ કરી દીધો અને કહ્યું કે ચીન ખોટી વાત કરી રહ્યું છે.
બધી બાજુનું દબાણ હોવા છતાં, ભારતે હિમ્મતભેર યુદ્ધના મોરચે ફતેહ જારી રાખી. બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી મોટું ટેન્ક યુદ્ધ લડાયું.
એમાં પાકિસ્તાનને અનેક ટેન્કો ખોવી પડી તો કેટલીક ટેન્કો મૂકીને સૈનિકો ભાગી ગયા.
23 સપ્ટેમ્બર 1965ના દિવસે સંયુકત રાષ્ટ્રની મધ્યસ્થીથી યુદ્ધવિરામ જાહેર થયો.
યુદ્ધ સમયે લાલ બહાદુર શાસ્ત્રી એ આપેલો નારો ‘જય જવાન જય કિસાન’ આખા દેશના મિજાજને પલટાવી નાખનારો સાબિત થયો.
લોકોએ યુદ્ધ ફાળા તરીકે પોતાનું બધુ આપી દેવાની પણ દેશની શાન જાળવવાની તૈયારી બતાવી.
આજે પણ શાસ્ત્રીજીનો આપેલો નારો વખતે વખતે ગુંજતો રહે છે અને દેશા માટે બધુ જ કરવાની ભાવના પ્રજામાં ઊભરી આવે છે.
ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં દેશે આ યુદ્ધ લડેલું અને એમાં શાસ્ત્રીજીની દોરવણીથી વિજય મેળવેલો.
દેશના નેતાની નીડરતા, મક્કમતા અને ત્વરિત નિર્ણય શક્તિ વિપરીત પરિસ્થિતિમાં પણ કેવા સકારાત્મક પરિણામ સર્જી શકે તેનું શાસ્ત્રીજી અને 1965નું યુદ્ધ ઉદાહરણ છે.
યુદ્ધવિરામ બાદ રશિયાના તાસ્કંદ ખાતે બંને દેશોના વડા કાયમી શાંતિના કરાર માટે ભેગા થયા.
10 જાન્યુઆરી 1966 ના દિવસે કરાર પર લાલ બહાદુર શાસ્ત્રી ભારત તરફથી અને જનરલ અયુબખાન પાકિસ્તાન તરફથી સહીઓ કરી છૂટા પડ્યા.
11 જાન્યુઆરી સવારે 2:00 વાગે શાસ્ત્રીજીનું હ્રદયરોગના હુમલાથી મૃત્યુ પામેલા જાહેર કરાયા.
આ અગાઉ તેમને હ્રદયની કોઈ બીમારી હતી જ નહીં. વળી, તેમનું પોસ્ટ-મોર્ટમ કરાયેલું કે નહીં તે અંગે પણ ગૂંચવાડો આજ સુધી ચાલુ છે.
શાસ્ત્રીજી પહેલા ભારતીય વડાપ્રધાન છે જેમનું બીજા દેશમાં અવસાન થયું હોય અને તે પણ ભેદી સંજોગોમાં.
આજે પણ દેશ તેમના અવસાનને સ્વાભાવિક માની શકતો નથી. અને તેમની હત્યા અંગેની અનેક આશંકાઓ જોવાય છે.
એ સમયે CIA વિરોધી નેતાઓની હત્યા કરવા કુખ્યાત ગણાતી અને યુદ્ધમાં અમેરિકાનું પાકિસ્તાન તરફે વલણ હતું તેથી CIA એ શાસ્ત્રીજીની હત્યા કરવી હોવાની આશંકા સેવાય છે.
વળી, કેટલાક લોકો ઇન્દિરા ગાંધીએ તેમની હત્યા કરાવી હોવાની આશંકા પણ જણાવે છે. કોઈ KGB નો હાથ હોવાની શંકા રજૂ કરે છે.
જોકે આટલી સરકારો બદલાવા છતાં ભારત સરકારે સત્તાવાર ક્યારેય આવી થિયરીઓને સમર્થન આપ્યું નથી.
લાલ બહાદુર શાસ્ત્રી એવા પ્રથમ વડાપ્રધાન છે જેમને મરણોપરાંત ભારત રત્નથી સન્માનીત કરાયા છે.
તેઓ સામાન્ય લોકોના નેતા તરીકે ઊભરી આવ્યા. સાદગી, મક્કમતા, પ્રમાણિકતા એ તેમની ઓળખ બની.
વડા પ્રધાન હોવા છતાં, 5000 રૂપિયાની લોન લઈને ગાડી લાવેલા અને તેમના મૃત્યુ બાદ પણ લોનના હપ્તા તેમના પત્ની લલિતાદેવીએ ભરીને સાબિત કર્યું કે પ્રમાણિકતા તેમના પૂરા કુટુંબમાં ઠાંસીને ભરેલી હતી.
આજે પણ એ ફિયાટ ગાડી સાચવી રાખવામા આવી છે જે આપણને શાસ્ત્રીજીની મહાનતા યાદ અપાવે છે.
દિલ્હીમાં શાસ્ત્રીજીની સમાધિ ‘વિજય ઘાટ’ તરીકે સ્થાપિત કરેલી છે. દરેક દેશવાસીને એ સદાય પ્રેરણા આપતી રહે છે.
દેશના દરેક નાગરિકને હમેશા લાલ બહાદુર શાસ્ત્રી પ્રમાણિક્તા અને નિષ્ઠા પૂરી પાડતા રહેશે. તેમના ખેડૂત અને સૈનિકો પ્રત્યેના માન અને લાગણીને આજે આપણે અનુસરીએ એ જરૂરી છે.
Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…
Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…
Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…
Some info about Inch Inches are a unique measure that persuades us that even the…
You should be familiar with logarithms to understand antilogarithms in a better manner. Logarithms involve…
यहां "नाटककार सुरेंद्र वर्मा" पुस्तक की पीडीएफ विद्यार्थी, शोधार्थी और जो इसका अभ्यास के लिए…
View Comments
Pretty component of content. I just stumbled upon your site
and in accession capital to assert that I get actually enjoyed account your weblog posts.
Anyway I will be subscribing on your feeds or even I achievement you get entry to
constantly rapidly.
Definitely consider that that you stated. Your favourite reason seemed
to be on the net the easiest factor to understand of.
I say to you, I certainly get irked at the same time as folks think about worries that
they plainly don't recognise about. You managed to hit the nail upon the
top and outlined out the entire thing without having side-effects ,
other folks can take a signal. Will probably be again to get
more. Thanks
Thanks for another informative web site. Where
else may I am getting that kind of info written in such a perfect
approach? I have a challenge that I'm just now running on, and I have been at the look out for such
info.
Just a smiling visitant here to share the love (:, btw great design.