શિવામ્બુ અથવા સ્વમૂત્રનો ઉપચાર ભારતીય અને પશ્ચિમ બંને જગ્યાએ પારંપારિક રીતે થતો આવ્યો છે.
અંગ્રેજીમાં શીવામ્બુ ઉપચારને Urine Therapy કહે છે અને વિશ્વના અનેક લોકો તે પદ્ધતિનો ઉપચાર કરે છે.
આપણું શરીર કુદરતની અદભૂત રચના છે. એજ રીતે શરીરના પોતાના ઉત્પાદિત રસાયણો પણ અદભૂત છે.
સામાન્યરીતે પેશાબ અથવા મૂત્ર એ શરીરે ત્યાગેલો વધારાના પ્રવાહીનો જથ્થો છે. જેમાં શરીરનો કચરો બહાર કાઢવામાં આવે છે.
વધુમાં પેશાબ શરીરના તાપમાનનું નિયંત્રણ કરવા સાથે એવા રસાયણો પણ ધરાવે છે જે ઉપચાર કરવામાં ઉપયોગી થાય છે.
પોતાના મૂત્રનો ઔષધિ તરીકે ઉપયોગ કરવાની ઉપચાર પધ્ધતિને શીવામ્બુ ઉપચાર કહે છે.
શિવામ્બુ પ્રયોગ કરનારે જાણે લેવાનું કે એના પોતાના રોગ માટે એના પોતાના શિવામ્બુથી સારું ઔષધ બીજું કોઈ નથી.
આથી શિવામ્બુ ચિકિત્સા દરમ્યાન અન્ય કોઈ ઔષધ લેવાનું નથી.
શિવામ્બુ સાથે ઔષધ લેનારને આડ અસર થવાનો ભય રહે છે તેથી દવા બંધ કર્યા બાદ જ શિવામ્બુ પાન શરૂ કરાવવું.
(અનિવાર્ય સંજોગોમાં ડાયાબિટીસ અને હદયરોગમાં શિવામ્બુ ચિકિત્સકના માર્ગદર્શન નીચે ઔષધ સાથે શિવામ્બુ લઈ શકાય છે.)
માનવમૂત્ર ત્રણ પ્રકારનું નિવારણ કાર્ય કરે છે:
સ્વમુત્રોપચાર એટલે શું ?
એનો અર્થ એ કે રોગીએ પોતાનું મૂત્ર શિવામ્બુ પીવાનું, માલિશ કરવાની કે અન્ય રીતે ઉપચાર અર્થે વાપરવાનું.
સ્વમૂત્રોપચારની એનેક વિધિઓ છે. તેમાં મુખ્યત્વે ૪ છે.
સ્વમૂત્ર (શીવામ્બુ) પાન એટલે રોજ પોતાનું મૂત્ર પીવું.
નાના રોગ જેવા કે તાવ, શરદી, ઉધરસ, કબજિયાત વગેરે દર્દો માટે બે દિવસના ઉપવાસ કરી આખા દિવસનું બધું જ સ્વમૂત્ર પીવાનું અને ઉકાળીને ઠંડું કરેલું પાણી પીવાનું હોય છે અને એકાદ લિટર શિવામ્બુનો એનીમા લેવો.
આ પ્રયોગથી તાત્કાલિક ફાયદો થાય છે.
ભારતીય પદ્ધતિ મુજબ પરોઢનું મુત્રપાન કરતી વખતે પ્રથમ ધારનું અને છેલ્લી ધારનું થોડું મુત્ર જવા દેવાનું છે.
જ્યારે પશ્ચિમની પદ્ધતિમાં તે વાત જણાવેલ નથી. તેથી ઘણા મુંજવણ અનુભવે છે.
સાવચેતી રૂપે પરોઢના મૂત્રપાન વખતે ૧ – ૨ ચમચી પહેલી અને છેલ્લી ધારની જતી કરવી.
ત્યારબાદ આખા દિવસમાં તે જવા દેવાની જરૂર નથી હોતી.
પરોઢનો પહેલો પેશાબ ઉત્તમ ગણાય છે તે ખાસ પીવો.
શિવામ્બુની માત્રા દરદીએ પોતે નક્કી કરવાની રહે છે.
મોટેભાગે એકથી દોઢ કપ (૧૫૦ થી ૨૦૦ મિલી.) મૂત્ર દિવસમાં ૩ થી ૪ વખત સહેલાઈથી લઈ શકાય છે.
કદાચ વધારે પીવાય તો નુકશાન તો છે જ નહીં.
મૂત્રપન પહેલાં અને ત્યારબાદ અડધો કલાક કંઈ ન લેવાય તે હિતાવહ છે.
જેથી શિવામ્બુ અસરકારક રીતે કાર્ય કરી શકે.
હઠીલા દર્દીમાં તેમજ જેને કબજિયાત રહેતી હોય તેણે ૫૦૦ ગ્રામ સ્વમૂત્ર (તાજુ અગર વાસી) અને ૫૦૦ ગ્રામ પાણી ભેગું કરીને હુંફાળું ગરમ કરી તેનો એનિમા નિયમિત અગર એકાંતરે ઉપચાર દરમ્યાન જરૂર લેવો જેથી ઝાડો સાફ આવશે અને પેટના આંતરડા મજબૂત થશે.
કાનના દરેક પ્રકારના રોગોમાં કાનમાં તાજા અગર વાસી સ્વમૂત્રનાં ૨ ટીંપા દિવસમાં ૨-૩ વખત નાખવાથી ચોક્કસ કાનનું તેજ વધે છે.
પીવામાં, નાકના ટીંપામાં, નેત્રબિંદુ, કર્ણબિંદુ, નાસ, વરાળ શેક, કોગળા કરવામાં, પેઢા પર કે દાંત પર ઘસવામાં, દાઝ્યા કે વાગ્યા પર.
અંગ માલિશ, એનિમા, પોટિશ,
કર્ણબિંદુ, દાઝ્ય ઉપર, ઘા ઉપર, એનિમા માટે, વરાળ શેક.
આપણા શરીરની નાભિ અંગે જાણવા માટે આ લેખ જરૂર વાંચો. “નાભિ – કુદરતની અણમોલ દેન”
Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…
Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…
Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…
Some info about Inch Inches are a unique measure that persuades us that even the…
You should be familiar with logarithms to understand antilogarithms in a better manner. Logarithms involve…
यहां "नाटककार सुरेंद्र वर्मा" पुस्तक की पीडीएफ विद्यार्थी, शोधार्थी और जो इसका अभ्यास के लिए…