Press "Enter" to skip to content

ધનતેરસ – ભગવાન ધન્વંતરિ અને લક્ષ્મી પૂજન

Pankaj Patel 3

ધનતેરસ એ કારતક વદ તેરસ એટલે કે દિવાળી અગાઉના બે દિવસે ઉજવાતો તહેવાર છે.

ધનતેરસના દિવસે ખાસ મહત્વનો રિવાજ કે વિધિ ધન (સોનું, ચાંદી વગેરે) ખરીદવાનો છે.

આ દિવસ ખરીદીમાં શુભ મનાય છે અને એવી માન્યતા છે કે આ દિવસે ખરીદેલું ધન તેર ગણું વૃદ્ધિ પામે છે.

મોટે ભાગે ચાંદી  ખરીદાય છે  કારણ કે ચાંદી ચંદ્રનું સ્વરૂપ ગણાય છે અને શાંતિ અને સંતોષનું પ્રતિક મનાય છે.

ચાંદી, ચાંદીના વાસણ, ચાંદી બનેલી મુર્તિ કે ચાંદીનો લક્ષ્મીજીની છાપ વાળો સિક્કો ખરીદવાનું વ્યાપક ચલન છે.

ધન્વંતરિ પૂજન :

ભગવાન ધન્વંતરિ એ દેવોના ચિકિત્સક કે ચિકિત્સકોના દેવતા મનાય છે અને ધનતેરસ તેમની જયંતિ મનાય છે.

ધન્વંતરિ પૂજન સ્વાસ્થ્ય લાભની અપેક્ષાએ કરાય છે. અને આખા વર્ષ માટે સ્વસ્થ શરીરની કામના રખાય છે.

વિધિ-વિધાનથી ધન્વંતરિ પૂજન કરી સાંજે ઘર આગળ દિવડાઓની હાર કરવાની પ્રથા પુરાણકાળથી ચાલી આવી છે.

ચોપડા, પશુ અને યમ પૂજનનો પણ મહિમા:

આ દિવસે વેપારીઓ ચોપડા પૂજન પણ કરે છે. (મોટે ભાગે બેસતા વર્ષના દિવસે કે લાભ પાંચમના દિવસે આ કરાતું હોય છે)

ખેડૂતોનું સૌથી મહત્વનુ ધન ગાય, ભેશ, બળદ વગેરે પશુઓ ગણાય છે અને આ દિવસે તેમની પૂજા કરાય છે.

પશુઓના શિગડા પર ઘી લગાડવામાં આવે છે અને શરીરે રમજી કે એવા પદાર્થોથી શણગારવામાં આવે છે.

બળદને પણ શિગડા પર ઘી લગાડી કોટમાં ઘૂઘરીઓ બદલવામાં આવે છે.

એક કથા મુજબ યમદૂતો જે ઘરે દિવડાની હાર હોય અને ધનતેરસનો દિવસ હોય તો વિધિના લેખ હોવા છતાં એક દિવસનું અભય આપે છે. આમ, એક દીવડો આ દિવસે યમરાજની પૂજાનો પણ મૂકવામાં આવે છે. ઘણા યમનું વ્રત પણ કરે છે.

લક્ષ્મી પૂજન :

ઉપરના બધા વિધિ વિધાન અને પૂજન ગૌણ છે, મુખ્યત્વે ધનતેરસ એ લક્ષ્મીપૂજનનો દિવસ ઘણાય છે.

સોનું કે ચાંદી પણ ખરીદાય તો લક્ષ્મીની મુર્તિ કે સિક્કા સ્વરૂપે ખરીદવાનો મહિમા છે.

ધનની દેવી અને સુખ,  શાંતિ અને સમૃદ્ધિની કામના પૂર્ણ કરનાર માં લક્ષ્મીજીની કુટુંબના બધા સભ્યો ભેગા મળી પૂજા કરે છે.

માતાની આરતી કરી પંચામૃત સહિત પ્રસાદ ધરાવવામાં આવે છે. અને તે આરોગી સૌ કૃતાર્થ થાય છે.

કુબેર પૂજન :

ધનના દેવતા કુબેર ગણાય છે. અને આ દિવસે કુબેર પૂજનનું પણ ઘણું મહાત્મ્ય છે. જોકે, પૂજા કોઈપણ દેવની કરાય આ દિવસે સૌ સુખ, સંપત્તિ અને આરોગ્યની કામના કરે છે. દિવાળીના સતત આવતા તહેવારોમાં ખૂબ અગત્યનો આ તહેવાર છે અને બધા આનંદ ઉલ્લાસથી તેને ઉજવે છે.

મંદિરો અને ઘરોમાં પૂજન અને દીપ પ્રગટાવવાનું પર્વ :

આ દિવસે માત્ર ઘરોમાં જ નહીં પણ મંદિરોમાં પણ વિશેષ પૂજા કરવામાં આવે છે. ઘરો, મંદિરો અને બધે રોશની અને દીપ પ્રગટાવવામાં આવે છે. લોકો ફટાકડા ફોડે છે અને આનંદ કરે છે.

આપ સહુને ધનતેરસની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે સહુનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના સહ ..

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

  1. quest bars quest bars

    This design is incredible! You obviously know how to keep a reader entertained.
    Between your wit and your videos, I was almost moved to start my own blog (well, almost…HaHa!) Fantastic job.
    I really enjoyed what you had to say, and more than that, how you presented it.
    Too cool!

  2. quest bars quest bars

    Great beat ! I wish to apprentice whilst you amend your
    site, how could i subscribe for a weblog site? The account
    aided me a applicable deal. I were tiny bit acquainted of this your broadcast
    offered brilliant clear idea

  3. descargar facebook descargar facebook

    This piece of writing is really a nice one it helps new web people, who
    are wishing for blogging.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *