Press "Enter" to skip to content

ચારિત્ર્ય અથવા શીલ Character – conduct

Pankaj Patel 2

ચારિત્ર્યથી બુદ્ધિ આવે છે, બિદ્ધિથી ચારિત્ર્ય નથી આવતું.

– સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદ હોય કે ગાંધીજી, શંકરાચાર્ય હોય કે એલેક્ઝાંડર દરેક સ્થળ, કાળ અને દેશમાં વ્યક્તિના અને સમાજના character  માટે ચિંતકો અને મહાનુભાવોએ હમેશાં ચિંતા કરી છે.

સમાજ કે દેશનું નિર્માણ અથવા આધ્યાત્મિક કે ભૌતિક વિકાસ તેના લોકોના ચારિત્ર્યમાં સમાયેલ છે. ચારિત્ર્યવાન નાગરિકોથી બનેલ સમાજનો દીર્ઘકાલીન વિકાસ તે દેશ કે સમાજને સુવાસિત કરે છે. સમગ્ર સંસ્કૃતિ ખીલી ઊઠે છે.

અહી કેટલાક વિચારકોના ક્વોટ રજૂ કર્યા છે. ઇન્ટરનેટ પર કે સોશિયલ મીડિયામાં ગુજરાતીમાં આવા સુવિચારો શોધવા પડે છે. અંગ્રેજી કે હિંદીમાંથી ગુજરાતી ભાષામાં ભાષાંતર કરી રજૂ કરવાનો પ્રયાસ છે.

 

ચારિત્ર્ય

આ જગતમાં સૌથી ઉત્તમ આભૂષણ ચારિત્ર્ય છે.

– શંકરાચાર્ય

માનવીનું ચારિત્ર્ય  એ શું બોલે છે એના પર નહિ

પણ નિષ્ફળતા મળ્યા પછીના પ્રયત્નોમાં સમાયેલું છે.

– જેમ્સ મિશનર

ચારિત્ર્ય જ મનુષ્યની શ્રેષ્ઠ મૂડી છે.

– એમર્સન

ચારિત્ર્ય

ચારિત્ર્ય શુદ્ધિ જ સમગ્ર જ્ઞાનપ્રાપ્તિનું ધ્યેય હોવું જોઈએ.

– મહાત્મા ગાંધી

દરેકના માટે ચારિત્ર્ય વગરનું જીવન સુગંધ વગરની અગરબત્તી જેવું છે.

ચારિત્ર્ય જીવનનો અરિસો છે તેનું પ્રતિબિંબ બહાર પડ્યા વગર રહેતું નથી.

– મહેન્દ્ર પુનાતર

આપણે આપણા વિશે જે વિચારીએ છીએ તે નહિ,

પરંતુ આપણે જે વારંવાર ઉચ્ચારીએ અને આચરીએ છીએ તે જ આપણું સાચું ચારિત્ર્ય છે.

– સ્ટીફન કોવી.

ચારિત્ર્ય

ચરિત્ર્યનો વિકાસ તમારી પ્રતિભાનો વિકાસ છે.

– દયાનંદ સરસ્વતી

ચારિત્ર્યમાં એક થોડો ડાઘ પડવાથી મનુષ્યની તમામ કીર્તિ ઉપર કાળાશ છવાઈ જાય છે.

– સ્વામી શિવાનંદ

ચારિત્ર્ય વિનાની ફક્ત બુદ્ધિ આપણને અધોગતિની ગર્તામાં ધકેલે છે.

– એલેકઝાન્ડર

ચારિત્ર્ય

ચારિત્ર્ય એ જ કે જે વિપત્તિઓની અભેદ દીવાલોમાંથી પણ પોતાનો માર્ગ શોધી કાઢે.

સ્વામી વિવેકાનંદ

નબળા ચારિત્ર્યવાળી વ્યક્તિ નિર્બળ છોડ જેવી છે જે પવનના પ્રત્યેક સપાટે ઝૂકી જાય છે.

– માધ કવિ

તમે સમાજ પાસેથી જે લો એ પ્રતિષ્ઠા, તમે સમાજને આપો એ ચરિત્ર્ય,

જે પળથી તમે આ સમજો એ પળથી જ જીવવાની શરૂઆત કરી છે એમ માનજો.

– બેયાર્ડ ટેઈલર

ચારિત્ર્ય

મનુષ્યની ચારિત્રસુધારણા નહિ થાય ત્યાં સુધી દુઃખોની સમાપ્તિ નહિ થાય.

– પ્રણવાનંદજી

માણસની મોટામાં મોટી જરૂરિયાત શિક્ષણ નહિ પણ

ચારિત્ર્યનિર્માણ છે અને  તે જ તેનો રક્ષક છે.

– હર્બટ સ્પેન્સર

ચારિત્ર્યનું નિર્માણ કરવું અને તેને સુધારવું એ જ માનવનું પરમ લક્ષ્ય હોવું જોઈએ.

– ડૉ. ગ્રીન

આવા અન્ય સુવિચારો માટે આ બ્લોગ સાઇટની ‘સુવિચાર અને વિચાર વિસ્તાર‘ ચેનલ ફોલો કરો.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

  1. tinyurl.com tinyurl.com

    What’s up colleagues, its wonderful article regarding cultureand completely explained, keep it up all the time.

  2. What Equipment is Needed for Sling TV What Equipment is Needed for Sling TV

    Hey very nice blog!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *