Press "Enter" to skip to content

હજારો નિરાશામાં અમર આશા છુપાઈ છે

Pankaj Patel 0

આશા – નિરાશાને સાંકળીને અનેક સુવાક્યો, સુવિચારો અને મહાનુભાવો દ્વારા ઉચ્ચારાયેલ વાક્યો પ્રચલિત છે.

અહી કેટલાક ‘વિણેલાં મોતી’ રજૂ કર્યા છે.

 

આશા

આશા, એ ફૂલ વિના મધ બનાવનારી મધમાખી છે.

– ઈગરસોલ

આશા

આશાની છીપલીમાં જ સિદ્ધિનાં મોતી નીપજે છે.

રવીન્દ્રનાથ ટાગોર

આશા

આશા તો આંતર સ્ત્રોત છે.

– કવિ નાનાલાલ

આશા

આશા નાસ્તાનાં રૂપમાં સારી છે. ભોજનના રૂપમાં ખરાબ.

– બેકન

આશા

આશા અમર છે. તેની આરાધના કદી પણ નિષ્ફળ નથી જતી.

– મહાત્મા ગાંધી

આશા

આશા એવો તારો છે જે રાતે અને દિવસે બન્ને વખતે દેખાય છે.

– એમ.જી.મિલ્સ

આ ઉપરાંત પણ અન્ય કેટલાક મહાનુભાવોના અવતરણો જોઈએ.

મનુષ્ય માટે નિરાશા સમાન બીજુ કોઈ પાપ નથી

એટલા માટે મનુષ્યએ આશાવાદી બનવું જોઈએ.

– હિતોપદેશ

વિષાદની ભરતીની ટોચે આશાનાં અમૃતબિંદુ તરે છે.

– ધૂમકેતુ

પ્રયત્નશીલ મનુષ્ય માટે સદાય આશા છે.

– ગેટે

જે કેવળ આશાઓ પર જીવે છે તે ભૂખે મરે છે.

– બેન્જામિન ફ્રેંકલિન

નિરાશાવાદી ધનિક કરતાં આશાવાદી ગરીબ વધારે સુખી હોય છે.

– હરિભાઈ ઉપાધ્યાય

જ્યારે કોઈ પણ વસ્તુ આશાની વિરુદ્ધ જાય છે, ત્યારે દુઃખ થાય છે.

– પ્રેમચંદ

 

નિરાશા નિર્બળતાનું ચિહ્ન છે.

– સ્વામી રામતીર્થ

 

ભગવાન જ્યારે છપ્પડ ફાડીને આપી દેવાનો હોય,

ત્યારે પણ છાપરાનાં સમારકામનાં ખર્ચ વિશે જે ચિંતા કર્યા કરે

– તે ખરો નિરાશાવાદી

– ઓશો રજનીશ

હું આશાવાદી છું, કારણ કે નિરાશાવાદી થવાથી કોઈ લાભ નથી.

– ચર્ચિલ

ફરજ એવી વસ્તુ છે કે જેની હંમેશ આપણે બીજા પાસેથી આશા રાખીએ છીએ.

– બટ્રાન્ડ રસેલ

બાવળ રોપનારા પણ ગુલાબની આશા રાખે છે.

– વ્હૉલ્ટ વિટમેન

મનુષ્ય રડતો જન્મે છે, અનેક ફરિયાદો કરતો જીવે છે અને નિરાશ થઈને મરે છે.

– સર વૉલ્ટન

મારી સલાહ માનો. તમારા નાકથી આગળ ન જુઓ.

તમને હંમેશા ખબર પડતી રહેશે કે આગળ પણ કંઈક છે.

તે જ્ઞાન તમને આશા અને અનંદથી મસ્ત રાખશે.

– જ્યોર્જ બર્નાડ શો

 

અમારી બ્લોગ સાઇટની નિયમિત મુલાકાત લેતા રહો અને માત્ર શૈક્ષણિક જ નહીં,

સોશિયલ મીડિયામાં શેર કરવા ગમે તેવા ગુજરાતી બ્લોગ નિયમિત વાંચતા રહો.

અહી રજૂ કરેલ સુવિચારો શેર કરી ફેલાવો કરવામાં અમારી મદદ કરશો એવી અપેક્ષા.

ઉપરાંત ધોરણ 8-12 નું શૈક્ષણિક મટેરિયલ અમારી સાઇટ પર વિનામુલ્યે ઉપલબ્ધ છે તે તો આપ જાણતા જ હશો.

 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *